SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) આપણા જેવા પંચેન્દ્રિય જીવો ૨ લાખ થી માંડી ૯ લાખ સુધીની સંખ્યામાં જન્મ લે છે. જેમાંથી એક કે બે – ચાર જીવે અને બાકીના બધા માતાના પેટમાં જ ગણતરીની પળોમાં મોતને ભેટે છે. શું લાખોની સંખ્યામાં આપણા જેવા મનુષ્યના જીવાત્માઓની હિંસાનું પાપ અને ભાવિમાં તેનું દુઃખ વેઠવા તૈયાર છીએ ? ૫. ભાવે ભાવના ભાવીએ પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરીશ્વરજીની ૧૬મી સ્વર્ગારોહણ તિથિ નિમિત્તે વિ.સં.૨૦૬૫માં ૧૯૪ થી ૨૬/૪, પાંચમી અષ્ટદિવસીય શિબિરનું આયોજન ગોઠવાયું. બબલપુરા તીર્થ, દહેગામ પાસે નિર્માણ પામ્યું છે. અનેક મીની શ્રાવકોએ વિવિધ આરાધના કરી, વિવિધ નિયમો લીધા, પાલડીનો ૧૮ વર્ષીય યુવાન પ્રથમવાર શિબિરમાં આવ્યો અને એ યુવાને લીધેલા નિયમો અનુમોદનીય છે. કુમારપાળ રાજાની આરતીનો ચડાવો ૫૦૦૧ બિયાસણામાં લીધો. જેમાંથી હાલ આશરે ૮૦૦ થી અધિક બિયાસણા જેટલો તપ પૂર્ણ કર્યો છે. સાથે રોજ દવા અને પાણી સિવાય વધુમાં વધુ ૭ દ્રવ્ય વાપરવાનો નિયમ ૫ વર્ષ માટે લીધો, જે આજે પણ સુંદર રીતે પાળે છે. વીશ વિહરમાન પ્રભુને યાદ કરી રોજ ૨૦ ખમાસમણા આપવાનો નિયમ ૧૫ વર્ષ માટે લીધો. આ જ યુવાને વિ.સં.૨૦૬૬ કલિકુંડ તીર્થશિબિરમાં કુમારપાળ રાજાની આરતીનો ચડાવો ૧૨ વર્ષના ચોવિહારના નિયમથી લીધો ! પૂ.આ.શ્રીની સ્વર્ગવાસ તિથિના દિવસે સાંજે ટગમગતા દીવડાઓ સહુના હાથમાં હતાં. કુમારપાળ રાજાની ભવ્ય આરતી સહુ યુવાનોએ ભાવપૂર્વક ઉતારી. જેના પ્રભાવે આરતી બાદ સંતાનને મવાલી બનાવતા અટકાવે તે વાલી. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005433
Book TitleJain Adarsh Prasango Part 09
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year2013
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy