Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 15
________________ (૧૩). દર્દીમાંથી માત્ર ૧ જીવી શકે એવો આ ભયંકર જીવલેણ રોગ છે. હું એમની ટ્રીટમેન્ટ કરું છું. પણ સૌથી છેલ્લા પરિણામ માટે તમો તૈયાર રહેજો.” પ્રભાવતીબેન ખૂબ ધર્મી અને એમના પુત્રો પણ ખૂબ વિવેકી. ધર્મમાર્ગ સમજેલા. એમણે દવા સાથે જ દરરોજ એક જીવને અભયદાન આપવાનું શરૂ કર્યું. ૪૦ દિવસ રોજ એક જીવ બચાવવાનું ચાલુ રાખ્યું! ૨૧ દિવસ સુધી પાણીના ટીપા વગર રહેલા પ્રભાવતીબેનને પછીથી જીવોની જાણે દુઆ મળી. ૪૦ દિવસમાં તેઓ તંદુરસ્તી તરફ જવા લાગ્યા અને ક્રમશઃ સંપૂર્ણ તંદુરસ્ત બન્યા. આજે ૮૮ વર્ષે પણ તેઓ ધર્મારાધનામાં ખૂબ દિલચસ્પી ધરાવે છે. અહિંસા પરમો ધર્મની જય હો ! પ્રભુએ “જીવદયા ધર્મ સાર કહ્યું છે. શરીરમાં આવનાર બધા રોગોનું મૂળ કારણ જીવહિંસા છે. જીવદયાનું પાલન નિરોગી શરીરથી માંડી મોક્ષ સુધી પહોંચાડે છે. આપણે પણ જીવદયા પાળી જીવોની દુવા લેવાનો સંકલ્પ કરીએ ! ૯. ગાય બની દેવ દ્રૌપદીબેનના જીવનમાં બનેલી ઘટના એમના જ શબ્દોમાં વાંચીએ. સંવત ૨૦૨૮માં જબલપુરમાં બનેલી આ ઘટના છે. બપોરે દોઢ ' . ' મારા ઘરનાં કંપાઉન્ડમાં એક અજાણી ગાય બિમાર થઈને પડી. મેં એને ઘાસ પાણી આપ્યું. પણ મને એની સ્થિતિ સારી ન લાગી. તેથી તેની નજીક જઈ તેના કાનમાં નવકારમંત્ર સંભળાવવા શરૂ કર્યા. સાંભળતા એને કંઈક શાંતિ મળતી હોય એમ લાગ્યું. મને જોઈને તેની આંખમાંથી આંસુ સરવા લાગ્યા. તેથી આખો દિવસ જતા-આવતાં લાગણીપૂર્વક એને નવકારમંત્ર સંભળાવતી રહી ! સાંજે ફરી એની પાસે બેસી નવકારમંત્ર ચાલુ કર્યો અને ગાય પણ જાણે પૂર્ણ શ્રધ્ધાપૂર્વક દીકરાની કરીયર કે કેરેક્ટર, શું ઉંચુ બનાવશો? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52