Book Title: Jain Adarsh Prasango Part 09
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 41
________________ (૩૯) ૩૨.મંદિર પધારો સ્વામી સલૂણા વેજલપુર વિસ્તારમાં એક ટેનામેન્ટમાં શ્રી સંભવનાથ પરમાત્માની ચલપ્રતિષ્ઠા કરવામાં આવી. એક બારીનો કાચ ખરાબ હતો. મુસલમાન ને કાચ સરખો કરવા નજીકના વિસ્તારમાંથી બોલાવ્યો. કામ પતી ગયા બાદ જ્યારે પૈસા આપવાના આવ્યા ત્યારે મુસલમાને ના પાડી. કારણ પૂછતાં તેણે કહ્યું કે મારે કેટલીક ૨કમ અમુક વ્યક્તિ પાસેથી લેવાની નીકળતી હતી. ઘણાં પ્રયત્ન કરવા છતાં તે આપતો ન હતો. ભગવાનનું કામ કરતાં વિચાર્યું કે જૈનો ભગવાનના ચમત્કારોની ખૂબ વાતો કરતાં હોય છે. આમના ભગવાન જો સાચા હોય, મને મારી ૨કમ પેલો આપી દે તો કાચના કામના પૈસા નહીં લઉં. ઘરે ગયા બાદ સામેવાળાએ મારા પૈસા ખરેખર આપી દીધા. મને વિશ્વાસ બેસી ગયો કે જૈનોના ભગવાને જ આ કામ કર્યું છે. તમારા પૈસા મારે લેવાના નથી. ફરી કાચનું કામ પડે તો બોલાવજો . અસંભવને સંભવ કરનારા સંભવનાથ પ્રભુજીએ પૂર્વભવમાં દુકાળમાં અનેકની ખૂબ ભક્તિ કરેલી. એ જ પુણ્યના પ્રભાવે તીર્થંકર નામકર્મ સુધી તો પહોંચ્યા જ પણ આગળ વધી આજે પણ એના પરચા મળે છે. બોલો શ્રી સંભવનાથ પ્રભુનો જય હો ! વિજય હો ! ૩૩.મહામંત્ર ા જાપ રો નવા વાડજના એક ભાગ્યશાળી જણાવે છે કે મારો અજૈન મિત્ર જેને મેં આ પુસ્તક વાંચવા આપ્યું. વાંચ્યા પછી તેની નવકાર પ્રત્યેની શ્રદ્ધા ખૂબ જ વધી ગઈ. તેને મારી પાસે આવી નવકાર શીખી અને રોજ ગણવાનું શરૂ કર્યું. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના જીવનમાં અનેકોને હાશ આપી હશે તો મર્યા બાદ ઈતિહાસ રચાશે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52