Book Title: Gyansara Part 01
Author(s): Vijayravishekharsuri
Publisher: Sacchidanand Gyanvardhak Trust

View full book text
Previous | Next

Page 306
________________ મુક્ત થવાનું છે. હું બધા પર પર્યાયોથી રહિત છું, તેવો સ્વીકાર થાય, રૂચિ થાય, તો જીવ જીવ દ્રવ્ય માટે જીવશે કઈ જાતિ છે તે પ્રશ્ન ગૌણ બનશે. અનુકંપાની . અંદર જાતિ શબ્દ ન આવે તો જ નિર્જરા થશે, તેવો શુદ્ધ પરિણામ આવશે. શક્તિ અને તાકાત હોય તો “સ્વ-પર”ની પીડાને દૂર કરવાનો પ્રયાસ કરશે. પીડા પામતા જીવદ્રવ્ય ને પીડા અપાય નહીં. તે પીડા દૂર કરવા માટે સંપૂર્ણ પ્રયાસ કરાય. અનુકંપાનો ભાવ તો આત્મામાં જીવતો-જાગતો જોઈએ. દરેક જીવને એકેન્દ્રિયથી પંચેન્દ્રીય સુધીના તમામ જીવોને સમાન ભાવથી જુએ. એ જીવ છે અને સત્તાએ સિદ્ધ છે માટે મારાથી એ જીવને પીડા કેમ અપાય? આપણે જગતના જીવોને કર્મજન્ય ઉપાધિ રૂપમાન્યા? આપણી જાતને તો આપણે હલકી માની અને તેઓને પણ હલકા માન્યા. એકેંદ્રિય જીવ પર આપણું બહુમાન કેટલું? બાહ્ય ભાવથી જ દરેક જીવને આપણે તોલીએ છીએ તેને પરમેશ્વર સ્વરૂપન માનતા પામર સ્વરૂપે માનીએ છીએ આથી સિદ્ધત્વને તો આપણે ભૂલી જ ગયા. આપણે આપણી જાતને બાહ્ય ભાવથી જ તોલીએ દીન-હીન-એકલપણું કેમ અનુભવીએ છીએ. “પર”પર્યાય ની ઝંખના અને તે ન મળતાં આપણે દીન-હીન બની જઈએ છીએ. અમારી પણ એવી જ દશા થાય જો “પર” (પુગલ ને) ને મહત્વ આપીએ તો. અમારે શિષ્ય પરિવાર ન હોય, વિદ્વાન હોઈએ પણ ખુણામાં બેઠા હોઈએ, કોઈ પૃચ્છા ન કરે તો અમે પણ દુઃખી થઈશું. આ પણ ઉપાધિ જ છે. જેમ ઉધઈ લાકડાને ફોલી ખાય તેમ જીવને જો આ ઉપાધિઓ વળગે તો ફોલી ખાય. તે અંદરથી પીડાતા હોય. જ્ઞાનીને પણ આ ઉપાધિ વળગી ગઈ તો તે દ્રવ્યથી જ્ઞાની છે માટે તો મહો. યશોવિજયજી મહારાજે ગાયું કે “ગઈ દીનતા અબ સબહી હમારી, પ્રભુ તુજ સમકિત દાન મેં.” મારો આત્મ સ્વભાવ આ જ મારું સર્વસ્વ છે તે મળ્યા પછી મને હવે બીજું કાંઈ જોઈતું નથી. –એ સિવાય બીજુ ઈચ્છવું તે આર્તધ્યાન ઢપ છે. દીનતા એ આર્તધ્યાનનું લક્ષણ છે. આત્મા સિવાય ઈચ્છેલું પોતાને ન મળ્યું જ્ઞાનસાર || 305

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334