________________
-
...
આપણો જીવ એટલે આપણો આત્મા પોતાને, પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. હોય એવું ? દુનિયામાં આવું અંધારું ? છોકરું કાંખમાં (કેડમાં) તેડ્યું હોય અને કોઈ મા કહે “મારું છોકરું ક્યાં ગયું ?” તો છોકરું તો પોતાની પાસે જ છે પણ પોતે ભૂલી ગઈ છે. તેવી રીતે જીવ પણ પોતે પોતાને ભૂલી ગયો છે. “હું કોણ છું ?” એ જડતું નથી, હાથ આવતું નથી એ જ અજ્ઞાન છે, અંધારું છે.
એ અંધારું જાય કેવી રીતે ? એ જન્મમરણ ટળે કેવી રીતે ? જ્ઞાન મળવાથી અજ્ઞાનરૂપ અંધારું જાય અને જન્મમરણના ફેરા ટળે. હવે એ જ્ઞાન ક્યાં મળે ? જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી જ થાય.
ગુરૂવાણી ૦ ૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org