________________
.
ક
જે છોડવાનું હતું-વિભાવાદિ એ બધું છોડી દીધું. હવે લેવાનું કાંઈ બાકી ન રહ્યું અને ત્યાગવાનું પણ બીજું કાંઈ રહ્યું નહીં. જે ત્યાગવું હતું તે ત્યાગી દીધું. બાકી હવે નવિન કરવાનું શું બાકી રહ્યું ? મફતની મજા કરવાની રહી. (પા. ૩૬)
જ્ઞાનીના મુખેથી સાંભળીએ ત્યારે જ યથાર્થ બોધ થાય કારણ કે એનો આશય અને હેતુ કહેવાનો શો હતો એ ખબર પડે. આપણી કલ્પનાએ ખબર ન પડે. યથાર્થ બોધના પરિચયથી બોધિબીજની પ્રાપ્તિ થાય છે. (પા. ૩૭)
જ્ઞાનીને બે જ કામ હોય છે. (૧) પોતાના જે કર્મ ઉદયમાં આવે તે સમભાવે આનંદથી ભોગવવા એટલે નિર્જરી જાય અને નવાં કર્મ બંધાય નહીં. (૨) પરની અનુકંપા. (પા. ૪૧)
ગુરૂવાણી ૦ પ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org