________________
ન
કે પોતાના ઘરની વાત છે. અત્યારે તો એ પોતાનું ઘર ચૂકી ગયો છે. અને પરમાં મશગુલ થયો છે. એ યથાર્થ સમજણ આવે તો સરળ છે. સમજાય નહીં ત્યાં સુધી એ દુર્ઘટ છે, મુશ્કેલ છે. એ મુશ્કેલ ન હોત તો આપણે ક્યારના મોક્ષે ચાલ્યા ગયા હોત. (પા. ૧૯૧)
આપણે દર્શનમોહ ઉપર ઘા કરવાનો છે. દર્શનમોહને કાઢવાનો છે. એ રીતે આપણે શીખવી જોઈએ. એ સહેલી વાત નથી. આ દુનિયાની જેટલી વળગણા છે એ બધી છોડી દેવી જોઈએ, છોડી દેવી એટલે જંગલમાં જવું એમ નહીં, પણ અંદરથી જેને આપણા માન્યા છે મોહથી અને માયાથી એ મારાપણું છોડી દેવું જોઈએ. (પા. ૧૯૮)
ગુરૂવાણી ૦ ૬૭ For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org