Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 71
________________ સુગમ છે. એ વાણી સાદિ અનંત કાળ સુધી સુખ આપે એવી ખાણ છે. (પા. ૧૫૧) જેના મન, વચન, કાયાના યોગ વિષય અને વિકારમાં જ રખડતા હોય, સદાયે એમાં જ દોડતા હોય, લુબ્ધ હોય, એનું પરિણામ એને ખરાબ જ આવે. એને કદાચ સગુરૂનો કે સતુશાસ્ત્રનો, ભગવાનની વાણીનો, આગમોનો અને પરમાત્માનો જોગ થયો હોય તો પણ તેને યોગ, અયોગ (નિષ્ફળ) બને છે. (પા. ૧૫૨) પાંચ ઇન્દ્રિયોના વિષયો મંદ પડતા જાય. સ્વભાવમાં સરળતા આવે, સુવિચારણા જાગે અને એ આજ્ઞા ઉઠાવે, તદુપરાંત એ કરુણાભાવથી ભરેલા હોય, સ્વભાવ કોમળ હોય તથા એવા બીજા સદ્ગણો હોય. સાધકની આ પ્રથમ ભૂમિકા છે. ગુરૂવાણી ૦ ૬૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74