Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 52
________________ આ શરીર ઉપર મોહ છે માટે આપણને મોતની બીક લાગે છે. આ શરીર આપણું નથી એમ આપણે જાણ્યું નથી, મોહને લીધે જે પોતાનું નથી એને પોતાનું માનીને બેઠા છીએ અને પોતે જે સ્વરૂપે છીએ તેને ઓળખતા નથી માટે મૃત્યુની બીક લાગે છે. નહીં તો મૃત્યુની બીક શાની ? જેમ જીર્ણ વસ્ત્ર કાઢીને આપણે નવું વસ્ત્ર પહેરીએ છીએ, એમ આ આત્મા જૂનું શરીર મૂકીને નવું ધારણ કરે છે. બાકી આત્માને કાંઈ થતું નથી. છતાં દુ:ખ કેમ લાગે છે ? આ શરીર, સગાં, સંપત્તિ વગેરે મારાં, એવા મોહને લીધે એને બાથ ભીડીને બેઠા છીએ. આ બધું છોડીને ચાલ્યા જવું પડશે અને ક્યાં જઈશ એ ખબર નથી માટે મોતની બીક લાગે છે. પણ જો તમે સાચી કમાણી કરો તો બહાદૂરીપૂર્વક અહીંથી જઈ શકો. બહાદૂરીપૂર્વક એટલે કે મેં મારું કામ કરી લીધું છે એ અર્થમાં. ગુરૂવાણી ૦ ૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74