Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 54
________________ 'E જી * ઉપયોગ લક્ષણે સનાતન સ્કૂરિત એવા જીવને ગુણે, લક્ષણે અને વેદનપણે પહેલા જાણવો જોઈએ. એના ગુણ શું? લક્ષણ શું ? એનું વેદન કેવું હોય એ પહેલા ગુરૂ પાસેથી જાણવું જોઈએ. એ યથાર્થ બોધ જો તમને હશે તો કયું નિશાન પાડવું છે ? એ નિશાન કેમ પડે ? એનો તમને ખ્યાલ આવશે. માર્ગ મળશે, સમજાશે એટલે ઊંધી સમજણ-સ્વપ્નદશા છૂટી જશે. ઊંઘમાં રાત્રે જે સ્વપ્ન આપણને આવે છે તે આંખ ખૂલતાં જ પૂરું થઈ જાય છે અને આ સ્વપ્ન કાયમની આંખ મિંચાતા જ પૂરું થઈ જશે. ધ્યાન રાખજો, આ જિંદગી એ પણ એક સ્વપ્ન છે. કશું આપણું નથી. માત્ર હું, હું અને મારું, મારું એવો ખોટો અહંભાવ, મમત્વભાવ છે. આ અહંભાવ અને મમત્વભાવ મટી જાય એને અર્થે જ જ્ઞાનીઓસપુરૂષોનો બોધ હોય છે. ગુરૂવાણી ૪ ૪૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74