________________
“આ શરીર એ હું' એવું ઊંધું સમજીએ છીએ અને એ પ્રમાણે પ્રવર્તન છે, માટે ભવભ્રમણ છે. તો હવે આપણે સવળું સમજશું કે નહીં ? શું સવળું ? આ શરીર હું નથી”. હું તો અંદર બેઠો છું. એને ઓળખી કાઢવો જોઈએ. નહીં તો આ ઊંધું જ્યાં સુધી છે સમજમાં, માન્યતામાં, ત્યાં સુધી કર્મ લાગવાના. અને કર્મ લાગે ત્યાં સુધી જન્મમરણના ફેરા ચાલુ રહે જ. અત્યાર સુધી સવળું સમજ્યા નથી એટલે તો આ જન્મમરણના ચક્કરમાં છીએ. હવે સાચું સમજવાનો મોકો આવ્યો છે તો હવે સાચું સમજીને એ પ્રમાણે પુરૂષાર્થ કરવો પડશે. સાચા માર્ગે પુરૂષાર્થ કરશો તો અવશ્ય મોક્ષે જશો. બાકી આ દેહ ક્યારે પડશે એ ખબર નથી. ક્યારે આંખ મિંચાશે એની ખબર નથી, તેથી બીજી બધી વાત બાજુ પર મૂકીને મોક્ષમાર્ગે ચાલવા માંડવું.
ગુરૂવાણી ૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org