________________
જ્યાં સુધી દર્શનમોહ જાય નહીં, ગ્રંથિભેદ થાય નહીં, ગુરૂગમ મળે નહીં, સમકિત પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી ભલેને ધર્મના નામે હિમાલય ખોદી નાખે કે શરીરને ઝાડવા સાથે બાંધીને કષ્ટ આપે કે શરીરને ગાળી નાખે તો પણ જન્મમરણના ફેરા ટળે નહીં.
આટલા બધા આ સંસારમાં ‘ગ્રેજ્યુએટ ડાહ્યા ગણાય છે છતાં આધ્યાત્મિક દૃષ્ટિએ તેમને દિશાભ્રમ છે. ઊંધા જ ચાલવાનું કરે છે. ઊંધા ચાલવાનું એટલે કે શરીર એ “હું” એવું તેઓ માને છે. સવારમાં ઊઠીને રાત્રે સૂઈએ ત્યાં સુધી શરીર એ “હું” એમ માનીને આપણે બધી પ્રવૃત્તિ કરીએ છીએ. પરંતુ હું કોણ છું ? એની ખબર નથી.
ગુરૂવાણી ૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org