Book Title: Guruvani
Author(s): Ladakchand Manekchand Vora
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 48
________________ Sજ છે * * * ભાઈઓ, આ આત્માને જડ સાથે સંયોગ થયો છે. કર્મ વળગ્યા છે કારણ કે આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી. જ્યાં લગી એને ભાન નથી ત્યાં સુધી એ કર્મબંધન કરે છે. નવો બંધ ન પડે અને જૂનાનો ક્ષય થાય ત્યારે મોક્ષ થાય છે. જ્યાં સુધી આત્માનું ભાન નથી અને આ જડ-શરીર એ જ હું એમ માને છે ત્યાં સુધી મોક્ષ નથી થતો અને બંધ પડે છે તેમ છતાં ચેતન-આત્મા-પોતાના સ્વભાવનો ત્યાગ નથી કરતો. એટલે કે એનો જ્ઞાન ગુણ નાશ નથી પામતો. ભલે અજ્ઞાન છે; અસમ્યકજ્ઞાન છે; એ જ્ઞાન છે પણ અસમ્યક્ છે કેમ કે હું કોણ છું એ ખબર નથી. આત્મા વિષે અભાન છે, ઓળખાણ નથી. અનાદિકાળથી જીવની આ દશા છે. માટે જ ભવભ્રમણ મટતું નથી. ગુરૂવાણી ૦ ૪૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74