________________
Sજ
છે
*
*
*
ભાઈઓ, આ આત્માને જડ સાથે સંયોગ થયો છે. કર્મ વળગ્યા છે કારણ કે આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી. જ્યાં લગી એને ભાન નથી ત્યાં સુધી એ કર્મબંધન કરે છે. નવો બંધ ન પડે અને જૂનાનો ક્ષય થાય ત્યારે મોક્ષ થાય છે. જ્યાં સુધી આત્માનું ભાન નથી અને આ જડ-શરીર એ જ હું એમ માને છે ત્યાં સુધી મોક્ષ નથી થતો અને બંધ પડે છે તેમ છતાં ચેતન-આત્મા-પોતાના સ્વભાવનો ત્યાગ નથી કરતો. એટલે કે એનો જ્ઞાન ગુણ નાશ નથી પામતો. ભલે અજ્ઞાન છે; અસમ્યકજ્ઞાન છે; એ જ્ઞાન છે પણ અસમ્યક્ છે કેમ કે હું કોણ છું એ ખબર નથી. આત્મા વિષે અભાન છે, ઓળખાણ નથી. અનાદિકાળથી જીવની આ દશા છે. માટે જ ભવભ્રમણ મટતું નથી.
ગુરૂવાણી ૦ ૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org