Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 30
________________ ગુરુ-શિષ્ય ધોળે નહીં એ. પ્રશ્નકર્તા : ગુરુનું આપેલું નામસ્મરણ હોય તો તે સાધારણ મનુષ્યના આપેલા કરતાં આની શક્તિ વધારે હોય કે નહીં ? દાદાશ્રી : એ આપેલું હોય તો સારું ફળ આપે. એ જેવા જેવા ગુરુ. એ ગુરુ ઉપર આધાર રાખે છે. ગુરુનું ધ્યાન ધરવું હિતકારી ! પ્રશ્નકર્તા : કેટલાંક ગુરુ એમનું પોતાનું ધ્યાન ધરવાનું કહે છે, એ યોગ્ય છે કે નહીં ? ગુરુ-શિષ્ય ૪૫ અહંકાર જાય કૃપાથી કે પુરુષાર્થથી ? પ્રશ્નકર્તા : અહંકારથી મુક્ત થવા માટે સ્વપુરુષાર્થની જરૂર છે કે ગુરુની કૃપા જરૂરી છે ? દાદાશ્રી : કૃપાની જરૂર છે. જેનો અહંકાર ગયેલો હોય એવા સદ્ગુરુની કૃપાની જરૂર છે, તો અહંકાર જાય. અહંકારનો નાશ કરવો એ ગુરુનું કામ નથી, ત્યાં તો જ્ઞાનીનું કામ છે ! ગુરુ એવું જ્ઞાન ક્યાંથી લાવે ?! એમને જ અહંકાર જાય નહીં ને ! જેની મમતા ગઈ નથી, એનો અહંકાર ક્યારે જાય તે ?! એ તો જ્ઞાની પુરુષ મળે અને જે જ્ઞાનીમાં બુદ્ધિનો છાંટો ના હોય ત્યારે ત્યાં એમની પાસે અહંકાર જાય. પ્રશ્નકર્તા : સંચિત કર્મો ગુરુ દ્વારા કળિયુગમાં નષ્ટ પામે ? દાદાશ્રી : ગુરુ દ્વારા તો નષ્ટ ના પામે. પણ જ્ઞાની પુરુષ હોવા જોઈએ, ભેદવિજ્ઞાની ! જેનામાં અહંકાર ના હોય, બુદ્ધિ ના હોય એવાં ભેદવિજ્ઞાની હોય તો કર્મો નાશ પામે. અને ગુરુ તો અહંકારી હોય તો ત્યાં સુધી કશું એવું ના થાય. પ્રશ્નકર્તા : શાસ્ત્રોમાં ય એવું લખેલું છે કે ગુરુગમ્ય જ જાણવું. દાદાશ્રી : હા, પણ ગુરુગમ્ય એટલે શું ? આત્મા દેખાય તો જ એ ગુરુગમ્ય કહેવાય. નહીં તો ગુરુગમ્ય તો બધા બહુ યે લઈને ફરે છે. આત્માનો અનુભવ કરાવડાવે તો ગુરુગમ્ય કામનું ! એ તો આગમ ને આગમથી ઉપર હોય, એવા જ્ઞાની પુરુષ મળે ત્યારે ગુરુગમ્ય પ્રાપ્ત થાય. ગુરુમંત્ર, ન દે લપસવા ! પ્રશ્નકર્તા : દરેક સંપ્રદાયમાં પોતપોતાના ગુરુએ ગુમંત્ર આપેલો હોય છે, એ શું છે ? દાદાશ્રી : બધા પડી ના જાય, લપસી ના જાય તેટલા માટે કરેલું. ગુરુમંત્ર જો સાચવી રાખે તો એ લપસી ના પડે ને ! પણ મોક્ષનું કશું દાદાશ્રી : એવું છે ને, ધ્યાન તો એટલા માટે કરવાનું છે કે ગુરુના સુખ માટે નહીં, આપણને એકાગ્રતા રહે ને શાંતિ રહે એટલા સારું ધ્યાન કરવાનું છે. પણ ગુરુ કેવા હોવા જોઈએ ? ધ્યાન આપણું ટકે એવા હોવા જોઈએ. પ્રશ્નકર્તા: પણ ધ્યાન સદ્દગુરુનું કરવું યોગ્ય છે કે કોઈ ભગવાનના બીજા સ્વરૂપનું ? દાદાશ્રી : ભગવાનનું ધ્યાન ખબર જ નથી ત્યાં શું કરશો ?! એનાં કરતાં ગુરુનું ધ્યાન કરવું. એમનું મોટું દેખાય તો ખરું ! આમાં સદ્ગુરુનું ધ્યાન કરવું સારું. કારણ કે ભગવાન તો દેખાતા છે નહીં. ભગવાન તો હું દેખાડું ત્યાર પછી ભગવાનનું ધ્યાન થાય. ત્યાં સુધી જે સદુગરુ ધારેલા હોય એમનું જ કરજો. હું ભગવાન દેખાડું ત્યાર પછી તમારે કરવું નહીં પડે. જ્યાં સુધી કરવાનું છે ત્યાં સુધી ભટકવાનું છે. કંઈ પણ કરવું પડે, ધ્યાન પણ કરવું પડે, ત્યાં સુધી ભટકવાનું. ધ્યાન સહજ થાય. સહજ એટલે કંઈ પણ કરવું ના પડે, એની મેળે જ થયા કરે, ત્યારે જાણવું કે છૂટકારો થયો. શક્તિપાત કે આત્મજ્ઞાત? પ્રશ્નકર્તા ઃ ગુરુઓ શક્તિપાત કરે છે તે શું ક્રિયા છે ? તેનાથી શિષ્યને શું ફાયદો થાય છે ? એ સિદ્ધિ આત્મજ્ઞાન માટે ટૂંકો રસ્તો છે ?

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77