________________
શિષ્ય હું છું. મારે શિષ્યોને શું કરવા છે ?! એ પછું ક્યાં વળગાડું આ બધાંને ?! આમ તો પચાસ હજાર માણસો મારી પાછળ ફરે છે. પણ હું આ બધાંનો શિષ્ય છું.
થઉં ?!
‘આપ' ગુરુ છો કે નહીં ?
પ્રશ્નકર્તા : તો આપ ગુરુ નહીં ?
દાદાશ્રી : ના, હું તો આખા જગતનો શિષ્ય છું. હું શું કરવા ગુરુ
પ્રશ્નકર્તા : ધારો કે આજથી તમને સાચા ગુરુ માનીએ અને સમર્પણ કરી દઈએ તો ?
દાદાશ્રી : પણ હું તો ગુરુ થવા નવરો જ નથી. હું તો તમને અહીં જે જ્ઞાન આપું, એ જ્ઞાનમાં જ રહીને તમે તમારે મોક્ષે ચાલ્યા જાવ ને, અહીંથી. ગુરુ કરવાને ક્યાં બેસી રહેશો ?! મને ગુરુ માનવાની જરૂર નથી. હું ગુરુપદ સ્થાપન નહીં થવા દઉં. તમને બીજું બધું ઠેઠ સુધીનું બતાડી દઈશ. પછી વાંધો ખરો ?!
હું કોઈનો ગુરુ થતો નથી. મારે ગુરુ થઈને શું કામ છે ? હું તો જ્ઞાની પુરુષ છું. જ્ઞાની પુરુષ એટલે શું ? ઓબ્ઝર્વેટરી કહેવાય ! જે જાણવું હોય તે જણાય ત્યાં આગળ !! સમજ પડીને ?
પ્રશ્નકર્તા : જ્ઞાની, ગુરુ ના હોઈ શકે ?
દાદાશ્રી : જ્ઞાની કોઈના ગુરુ ના થાય ને ! અમે તો લઘુતમ હોઈએ ! હું શી રીતે ગુરુ થાઉં ? કારણ કે બુદ્ધિ મારામાં બિલકુલ છે નહીં. અને ગુરુ થવું એટલે તો બુદ્ધિ જોઈએ. ગુરુમાં બુદ્ધિ જોઈએ કે ના જોઈએ ? અને અમે તો અમારા પુસ્તકમાં લખ્યું છે કે અમે અબુધ છીએ. આ જગતમાં કોઈએ પોતાની જાતને અબુધ લખ્યું નથી. આ અમે એકલાએ જ પહેલું લખ્યું કે અમે અબુધ છીએ. અને ખરેખર અબુધ થઈને બેઠા છીએ ! અમારામાં જરાય બુદ્ધિ ના મળે. બુદ્ધિ વગર ચાલે છે ને, અમારું ગાડું !!
એ રીતે આ બધાં ગુરુ !
કંઈ ન્યાય લાગે છે આપને ?! ‘હું આ બધાંનો શિષ્ય છું’ એમ કહું છું તેમાં, કંઈ ન્યાય લાગે છે ?
પ્રશ્નકર્તા : આ બધા કઈ રીતે તમારા ગુરુ ?
દાદાશ્રી : આ બધા મારા ગુરુઓ ! કારણ કે એમની પાસે જે કંઈ પ્રાપ્તિ હોય તે હું તરત જ સ્વીકારી લઉં છું. પણ એ જાણે કે અમે દાદા પાસે લઈએ છીએ. આ પચાસ હજાર લોકોને જ નહીં, પણ આખા વર્લ્ડના જીવમાત્રને હું ગુરુ તરીકે માનું છું, આખા જગતને હું ગુરુ તરીકે માનું છું. કારણ કે જ્યાં કંઈ પણ સત્ય હોય, એક કૂતરું જતું હોય ત્યાં કૂતરાનું સત્ય પણ સ્વીકારી લઉં. આપણા કરતા વિશેષતા હોય એ સ્વીકારી લઉં ! તમને સમજાયું ને ?
પ્રશ્નકર્તા : એટલે જ્યાંથી કંઈ પણ પ્રાપ્તિ થાય એ આપણા ગુરુ, એમ ?
દાદાશ્રી : હા. એ રીતે બધા જ મારા ગુરુ ! એટલે મેં તો આખા જગતના જીવમાત્રને ગુરુ કર્યા છે. ગુરુ તો કરવાં જ પડશે ને ?! કારણ કે જ્ઞાન બધા લોકોની પાસે છે. પ્રભુ કંઈ જાતે અહીં આવતા નથી. એ એવા નવરા કંઈ નથી કે તમારા માટે અહીં ધક્કા ખાય.
‘આ’ સિવાય ત બીજું કોઈ સ્વરૂપ !
પ્રશ્નકર્તા : આમાં આપ આપને કઈ કોટીમાં માનો છો ?
દાદાશ્રી : હું મારી જાતને આખા જગતનો શિષ્ય માનું છું અને લઘુતમ સ્વરૂપ છું. આ સિવાય મારું બીજું કોઈ સ્વરૂપ નથી. અને ‘દાદા ભગવાન' એ ભગવાન છે, અંદર પ્રગટ થયા છે તે !
દિશા બદલવાતી જ જરૂર !
પ્રશ્નકર્તા : અત્યારે ભારતમાં આપની કક્ષાની બીજી વિભૂતિઓ