Book Title: Guru Shishya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 77
________________ પ્રશ્નકર્તા : પણ આપના પછી કોણ ? ગુરુ ય નથી ને શિષ્ય ય નથી. અહીં ગુરુ-શિષ્યનો રિવાજ જ નથી. કારણ કે આ તો અક્રમ વિજ્ઞાન છે !!! - જય સચ્ચિદાનંદ હું તો કંઈ જાણતો નથી અને એવું આ વિચારવા માટે નવરો ય નથી. પ્રશ્નકર્તા H આપ કહો છો કે મારી પાછળ ચાલીસ-પચાસ હજાર ૨ડનારા હશે, પણ શિષ્ય એકુંય નહીં. એટલે તમે શું કહેવા માગો છો ? દાદાશ્રી : મારો શિષ્ય કોઈ નથી. આ કંઈ ગાદી નથી. ગાદી હોય તો વારસદાર થાય ને ! આ ગાદી હોય તો લોક વારસદાર થવા આવે ને ! અહીં તો જેનું ચાલે તેનું જ ચાલશે. જે બધાનો, આખા જગતનો શિષ્ય થશે, તેનું કામ થશે ! અહીં તો લોક જેને “એક્સેપ્ટ કરશે, તેનું ચાલશે !! એવું આ અક્રમ વિજ્ઞાન ! આ ગુરુનો માર્ગ હોય ! આ કોઈ ધર્મ નથી કે કોઈ વાડો નથી. હું તો કોઈનો ય ગુરુ થયો નથી, થવાનો ય નથી. લક્ષણ જ મારા ગુરુ થવાનાં નથી. જે પદમાં હું બેઠો છું એ પદમાં તમને બેસાડું છું, ગુરુપદશિષ્યપદ મેં રાખ્યું નથી. નહીં તો બધે તો લગામ પોતાની પાસે રાખે. જગતનો નિયમ કેવો ? લગામ છોડી ના દે, પણ અહીં તો એવું નથી. અહીં તો અમે જે પદમાં બેઠા છીએ તે પદમાં તમને બેસાડું છું ! આપણે જુદાઈ નથી. તમારામાં ને મારામાં કોઈ જુદાઈ નથી. તમને જરા જુદાઈ લાગે. મને જુદાઈ ના લાગે. કારણ કે તમારામાં હું જ બેઠેલો છું, એમનામાં ય હું બેઠેલો છું. પછી મારે જુદાઈ ક્યાં રહી તે ?! અને અહીં તો ગુરુપૂર્ણિમા હોય જ નહીં ખરી રીતે ! આ તો ગુરુપૂર્ણિમા ઉજવે છે એટલું જ છે, એક દર્શન કરવામાં નિમિત્તે ! બાકી અહીં ગુરુપૂર્ણિમા ના હોય. આ “ગુરુ” ય હોય ને ‘પૂર્ણિમા” ય હોય ! આ તો લઘુતમ પદ છે !! અહીં તો તમારું જ સ્વરૂપ છે આ બધું, આ અભેદ સ્વરૂપ છે ! આપણે જુદા છીએ જ નહીં ને ! ગુરુ થાય તો તમે ને હું - શિષ્ય ને ગુરુ બે ભેદ પડ્યા. પણ અહીં ગુરુ-શિષ્ય કહેવાતું જ નથી ને ! અહીં

Loading...

Page Navigation
1 ... 75 76 77