Book Title: Girnar Tirthoddhar Ras Author(s): Mohanlal Dalichand Desai Publisher: Sahitya Seva Samaj Granthmala View full book textPage 6
________________ સંબંધીને રાસ કયા વર્ષમાં રચવામાં આવ્યું, તેને ઉલ્લેખ કવિએ કરેલ નથી, તેથી કવિની કૃતિઓ જ્યારે સં. ૧૬૨૮ થી સં. ૧૬૬૯ સુધીની મળી શકી છે, તે તે દરમ્યાન તે રાસ રચાયેલે હોય એ સંભવિત છે. સાર. જેના ચરણકમલમાં સર્વ ઇંદ્ર શિર ઝકાવે છે, એવા વીશ જિનવરને પ્રણામ કરી, તે પૈકીના બાવીસમા જિનવર શ્રી નમિનાથ શીલરત્નભંડારના પદપંકજ જ્યાં વિરાજે છે, એવા ગઢ ગિરિનારને મહિમા કવિ ગુરૂની આજ્ઞા લઈ કિંચિત વર્ણવે છે. કાશ્મીરના નવહુલ નામના નગરમાં નવહંસ નામનો રાજા હતું, અને તેને વિજયાદે નામની રાણી હતી. ત્યાં ચઢશેઠ વસતે હતા, કે જેને ત્રણ પુત્ર નામે રત્ન, મદન અને પૂર્ણસિંહ હતા. આમાંના જયેષ્ઠ પુત્ર રત્નને પવિની નામની સ્ત્રી હતી, અને તેથી કેમલ નામને પુત્ર થયો હતે. આ રત્ન શેઠના સમય સંબંધી ગ્રંથમાં એ પાઠ છે કે, સેમિનાથના નિર્વાણ થયાને આઠ સહસ્ત્ર વર્ષે તે શેઠ થયા. (જુએ ચતુર્વિશતિબંધરત્ન શેઠ સબધી ત્યાં ઉલ્લેખ છે. ) એક સમયે વનમાં એક જ્ઞાની સહામુનિ પધાર્યો. તેને વાંદવા જા, ૨નશેઠ વગેરે સર્વ ગયા. તે વખતે તેમણે દેશના આપતાં જિનપૂજાને અધિકાર લઈ તેથી થતા બતાવી, તથા તે નિમિત્તે તીર્થ નામે શત્રુંજય અને ગિાિરને ઉલ્લેખ કરી શિરિનાર સંબંધી વિશેષ મહિમા દાખવ્યું કે ગિરિનાર વીર્થમાં મેસિનાથના ત્રણ કલયાણુક (કલ્યાણ દિવસે નામે નિથકમાગ પીલા, કેવલજ્ઞાન, અને નિર્વણ–આ ત્રણે) થયેલ હોવાથી તેને સહિમા અપાર છે. પરધમીજ પ્રભાસપુરાણમાં પણુ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 64