Book Title: Girnar Tirthoddhar Ras Author(s): Mohanlal Dalichand Desai Publisher: Sahitya Seva Samaj Granthmala View full book textPage 5
________________ નિવેદન કવિવર નપસુન્દર એક નામી જેન કવિ વિક્રમ સંવની સત્તરમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા છે, અને તેનું જીવન વિસ્તારથી આનંદ કાવ્ય મહોદધિ મતિક ૬ ઠામાં મારું લખેલું પ્રસિદ્ધ થઈ ચુકયું છે. તે જોઈ જવા વાચકને વિનતિ છે. તેની અંદર તેમની ઉપલબ્ધ કતિઓને નિર્દેશ કરે છે, પરંતુ આ કૃતિ તે લખવાના સમયે ઉપલબ્ધ થઈ શકી ન હતી તેથી તેને નામનિર્દેશ પણ થઈ શકે નહે. હમણાં મુનિ મહારાજ શ્રી બાલવિજયજીએ આ કૃતિની હસ્તલિખિત પ્રત તથા તેની કરેલી પ્રેસમાં મોકલવા માટેની નકલ મારા તરફ મોકલી આપી અને તેથી એક વિશેષ કૃતિ સાંપડી, તે વાતથી મનમાં આનંદ થયે. તે મુનિશ્રીની આજ્ઞાથી તે પ્રેસ કોપી એક પ્રતપરથી કરાયેલી હેવાથી અશુદ્ધ હતી, તેથી નવીનજ પ્રેસ કોપી મેં તૈયાર કરી છે, અને આ પ્રસ્તાવના લખી છે. આ તક આપવા માટે તે મુનિશ્રીને ઉપકાર માનું છું. આ ગિરિનાર તીર્થોદ્ધાર સંબંધી ના રાસ કવિએ દષિગામ એટલે દધિસ્થતિહાલની દેથલી એ ગામમાં ચેલે છે, કે જે ગામ સિદ્ધપુર પાસે આવેલું છે, અને જે પરમહંત કુમારપાળ નરેશની જન્મભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. આ રાસપરથી એ સિદ્ધ થાય છે કે, કવિએ સારાષ્ટ્રમાં આવેલા ગિરિનાર તીર્થની યાત્રા કરી છે. આજ ટુંકે રાસ કવિએ સૌરાષ્ટ્રમાં આવેલા મહાતીર્થ નામે શત્રુંજય સંબંધે પણ રચે છે, કે જે સુપ્રસિદ્ધ છે. અને તે ઉપરોક્ત માહ્નિકમાં પણ પ્રકટ કરવામાં આવ્યું છે. ને તેની રયા સાલ સંવત્ ૧૬૨૮ આસો સુદ ૧૩ મંગળવાર છે, ગિરિનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 64