Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 179
________________ ૧૬૬ જણાવ્યું હતું. પછાત વર્ગને હરિજન નામ આપ્યું. તેમને અહિંસક અને સંસ્કારી બનાવ્યા. મુસલમાને પ્રત્યે હિંદુઓને ઉદાર રહેવાનું જણાવ્યું અને મુસલમાનોને ન્યાય મળે તેની જાતે કાળજી સેવતા. ગાંધીજીએ શાંતિસેનાના પાયા માટે, મૂળભૂત હિંસા કયાં છે તે તપાસી લીધું અને તેને દૂર કરવા પ્રયત્ન કર્યો હતો. જે શીખેને કઈ અલ્પસંખ્યક કહીને દબાવે તે તે તરત હુમલો કરવા તૈયાર થઈ જાય. એવી જ રીતે મુસલમાનોને નાની તક મળે તો તેઓ હુલ્લડ કરી મૂકે છે. પછાતવર્ગના લેકે પણ દાઝેનબળીને બદલો લેવા તૈયાર થાય; આ બધું સ્વાભાવિક છે. આવાં બળાને શાંતિસેના વડે અહિસા તરફ વાળીએ તે કેટલું મોટું કામ થઈ શકે ? નહીંતર સંઘર્ષ વધુ થાય અને તેવા સંઘર્ષને ઉત્તેજન આપવા કોમવાદી કે સામ્યવાદી પક્ષો તે પહેલ કરતાં જ હોય છે. સામ્યવાદીઓ તે એ લઈને બેઠા છે કે મજૂરો અને શ્રમિકામાં અસતેષ ઊભો કરી તેને મૂડીવાદી પરિબળો સાથે લડાઈ કરાવવી તેમજ પિતે દૂર રહીને તમાશો જોયા કરો. આવી હિંસાના મૂળિયાં ઉખેડવામાં ન આવે ત્યાં સુધી શાંતિસેનાને પાયે મંડાય કઈ રીતે ? * કદાચ એકવખત લાગશે કે ઉપરથી શાંતિ થઈ ગઈ છે; પણ હિંસાના મૂળિયાંને નાશ કર્યા વગર, તેની અસર સ્થાયી રહી શકશે નહીં. ગાંધીજીએ હિંદુ-મુસ્લિમોને સમન્વય કર્યો હતો. સર્વ ધર્મ સમન્વયની દષ્ટિએ તે ખરું જ, પણ તેમણે બને ભાષાની-હિંદીઉર્દૂ ભાષાની એક્તાની દષ્ટિએ હિંદુસ્તાનીને પ્રયોગ પણ કર્યો હતો. તે વખતે અન્ય ધર્મગુરુઓ ચેત્યા નહીં. હવે એ કામ શાંતિસેનામાં માનનારા આપણુ જેવા લેકેએ કરવાનું છે; પક્ષમુક્તતાની વાતો કરીને ખેટા પક્ષને પણ આડકતરી રીતે કે ન મળી જાય એ ખાસ જોવાનું છે. જે પક્ષે હિંસામાં માને છે, એવા લેકે શાંતિસેનામાં આવે તો તેઓ દ્વારા થતી હિંસા વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212