Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 203
________________ ૧૯૦ ગાંધીજી બાદ કોંગ્રેસનું સુકાન અને દેશનું સંચાલન પં. નહેરૂના હસ્તક છે. તેમનો પણ અહિંસાની દિશામાં આગ્રહ દેખાય છે. પંડિતજી અને કોંગ્રેસ એકબીજા થકી આ બાબતમાં મકકમ છે. જ્યારે જ્યારે તક મળે છે ત્યારે ત્યારે નમ્ર ભાષામાં તેઓ અહિંસાની વાત કરે છે. એમણે બેલ્ટેડ પરિષદમાં હિંસાવાદી કે મજુર સરમુખત્યાર શાહીવાદી રાષ્ટ્રોને તેમજ સંસ્થાનવાદી જૂથને સાફ સાફ કહી દીધું હતું કે વિશ્વશાંતિ જોઈતી હોય તે તમારા રાષ્ટ્ર તટસ્થ બળ તરીકે રહેવું જોઈએ. એટલે અહિંસાના પરિબળો માટે કેંગ્રેસનું અનુસંધાન રાખવું પડશે તેમજ તેને ટકે આપવું પડશે. એની સાથે એ વાતની તકેદારી રાખવી પડશે કે સીધી કે આડકતરી રીતે સામ્યવાદી, સમાજવાદી કે કામવાદી અથવા હિંસા ને માનનારાં બળોને ટેકે ન મળે, તેમજ એમને અપ્રતિષ્ઠિત કરવાં જોઈએ. યુને” અને અહિંસા: દેશની જેમ વિશ્વની સપાટીએ અહિંસાના પરિબળ માટે “ધૂને એને કે આપ જોઈએ. કારણ કે તે એક તટસ્થ બળ છે અને જગતમાં શાંતિના પ્રચાર માટે કાર્ય કરી રહ્યું છે. એટલું ખરું કે આ સંયુક્ત રાષ્ટ્ર સંઘની શકિત ખૂબ જ અસરકારક બનાવવી જોઈએ. જેથી તે રાષ્ટ્ર-રાષ્ટ્રો વચ્ચે સુસંબંધો સ્થાપી શકે. યૂના હસ્તક ચાલતું “યુનેસ્ક” પણ વિશ્વશાંતિ માટેનું મોટું બળ છે. તે જગતમાં જ્ઞાન-વિજ્ઞાન અને સંસ્કૃતિના પ્રચાર સાથે અણુવિકસિત રાષ્ટ્રો માટે ઘણું કલ્યાણકારી યોજનાઓને સાકાર કરી રહ્યું છે. એટલે એ પરિબળનું અનુસંધાન પણ જરૂરી છે. તટસ્થ રાષ્ટ્રો અને અહિંસા : ત્રીજું બળ છે સક્રિય તટસ્થ રાખ્યું. તેમને પણ લોકશાહીની દષ્ટિએ ટેકો આપવો જોઈએ. પહેલા તે પંચશીલ ઉ૫ર ચીન-જાપાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212