Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 728
________________ [૧૯૩ હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા વાંચું છું ત્યારે એ બન્ને વ્યક્તિઓની વિશાળ દષ્ટિ અને દરેક પક્ષને વાજબી રીતે તળવાની તેમ જ કઈ પણ પક્ષને અન્યાય ન થાય તેવી રીતે ચર્ચા કરવાની સમતોલ વૃત્તિ પ્રત્યે ઊંડા આદરથી મસ્તક નમી પડે છે. એની જ સાથે જ્યારે હું શ્રી. પુરાણીના અહિંસા વિશેના દૃષ્ટિકોણને સરખાવું છું ત્યારે મને તદ્દન ખેચેખું એમ લાગે છે કે પુરાણી પિતાના ગુરુ શ્રી. અરવિંદ અને શ્રી. માતાજીના વિચાર અને ધ્યેયને જ જોખમાવી રહ્યા છે. “આદર્શ” નામના લેખમાં શ્રી અરવિંદે કહ્યું છે તે પિતાને વિશે કેટલું લાગુ પડે છે એ શ્રી. પુરાણ અંતર્મુખ થઈ વિચારી જુએ તે તેઓ ભાગ્યે જ સત્યને અન્યાય કરશે. શ્રી. અરવિંદ કહે છે: “એ પ્રચારક પિલા સ્કૂલ વ્યવહારુ ભાણસની કેટિનો જ છે. પેલા આદર્શ કે ભાવનાનો તે સાચે સ્વામી નથી છે, પણ તેને ગુલામ હોય છે. કોઈ બીજાની પકડમાં તે આવી ગયેલ હોય છે. એ ભાવના તેને ધકેલતી હોય છે. એની ઈચ્છાશક્તિ તે ભાવનાને આધીન થઈ ગયેલી હોય છે. એ ભાવનાને સારો પ્રકાશ તેને મળેલ નથી હોતો” (પૃ. ૯૯). આ સ્થળે હું દરેક જિજ્ઞાસુને ઉપર સૂચવેલા લેખ ફરી ફરી સમજપૂર્વક વાંચી જવા ભલામણ કરું છું. જે એ લેખો વાંચી શ્રી. પુરાણીની અહિંસા વિશેની ચર્ચા વાંચશે તેને મારું કશન વજૂદવાળું છે કે નહિ તેની ખાતરી થયા વિના નહિ રહે. કઈ એક ભાઈ, જે શ્રી અરવિંદાશ્રમમાં રહેતા હશે અને પછી અમદાવાદ જઈને પિતાના કામમાં પડ્યા હશે, તેમને સંબંધી શ્રી. પુરાણીએ પિતે જ એક લાંબે પત્ર લખેલ છે, જે ખરી રીતે એક સુસંબદ્ધ લેખ છે. એ પત્ર પ્રથમ વર્ષના ત્રીજા અંકમાં “કર્મ અને કર્મગ' એ મથાળા નીચે છપાયેલું છે. શ્રી. પુરાણીને આ પત્ર અને તેમને અહિંસા વિશે દૃષ્ટિકોણ બંને સરખાવું છું ત્યારે મારી સમજમાં જ એ નથી આવતું કે તેઓ અમદાવાદવાળા પિતાના પરિચિત સાધક મિત્રને જે સલાહ ગંભીરપણે આપી રહ્યા છે તે જ સલાહને વ્યાપક રીતે આપમેળે જીવનમાં ઉતારનાર ગાંધીજીના અહિંસક કર્મવેગને તેઓ શા માટે અવગણતા હશે? શ્રી. પુરાણ સ્પષ્ટ લખે છે: “જે કામ લીધું હોય, યા તે પ્રકૃતિની એજનામાં જે આપણે કરવાનું આવ્યું હોય, અને જેના પ્રત્યે આપણે અંતરાત્મા વિરેાધ કે પ્રતિ રોધ કરતા ન હોય તે તે કામ કરવામાં આપણું આધ્યાત્મિક પ્રગતિને કઈ જાતને બાધ આવતું નથી, એ વાત ઘણું લેકે સમજતા નથી.” * પૃ. ૧૫૮). આ સ્થળે હું અત્યંત વિનમ્રભાવે શ્રી. પુરાણને પૂછવા ઈચ્છું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772