Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 749
________________ ૭૧૪ ] દર્શન અને ચિંતન જુદા પડે, સુગ્રીવ અને વાલી લડે ત્યારે રામબ્રાતાઓ અખંડ રહે–આ લક્ષણ કદાચ આર્ય-અનાર્યનું ભેદસૂચક હેય.ગ્રંથકારે આર્યઆદર્શ દર્શાવવા ગ્રંથ લખ્યો હેય ને તેમાં અનાર્ય વ્યવહાર કેવો છે એ સાથે સાથે દર્શાવી આર્યજીવનની સુરેખતા ઉપસાવી હોય. જે કવિ ખરેખર કેળી જ હોય તે તેને પિતાની જાતિમાં એટલે કે અનાર્યમાં રહેલા સડાને નિવારવાની દૃષ્ટિ હોવી જોઈએ. અને એ પણ કવિને વસેલું હશે કે આવડા મેટા દેશમાં બહારથી આવેલા આ છેવટે ફાવ્યા તે કૌટુમ્બિક એકતાને કારણે. એટલે એને પિતાની જાતિનાં કુસંપ અને શુદ્રવૃત્તિ ખટક્યાં હોય અને તેનું ચિત્ર પોતાની જાતને અનાર્યો દ્વારા રજુ કર્યું હોય. ચોથા પ્રકરણમાં બ્રાહ્મણયુગનું ચિત્ર છે. લેખકે ઐતરેય આદિ બ્રાહ્મણગ્રંથને આધારે દર્શાવ્યું છે કે ધીરે ધીરે સાદા યજ્ઞોમાંથી ખર્ચાળ અને આડંબરી મહાયો કેવી રીતે વિકસ્યા. એ જ રીતે એ પણ દર્શાવ્યું છે કે પુરે હિતવર્ગની ક્ષત્રિય જેવા યજમાનવર્ગ ઉપર કેવી ધાક બેઠી અને તેઓ કેવા દક્ષિણાલુપ તથા મોજીલા બની ગયા. આની સામે કઈ રીતે ક્ષત્રિયોને વિધવંટોળ ઊડ્યો અને પુરોહિતોની પકડમાંથી છૂટતાં તેઓએ કયા પ્રકારની નવસંસ્કૃતિના નિર્માણમાં ભાગ લેવા માંડ્યો, એ બધું લેખકે સાધાર દર્શાવ્યું છે. પાંચમા પ્રકરણમાં મહાભારતનો પરિચય આવે છે. રામાયણના પરિચય કરતાં આ પરિચય કાંઈક વિસ્તૃત છે, તે ગ્રંથનું કદ અને વિષયવૈવિધ્ય જોતાં ગ્ય જ છે. “વેરથી વેર શમતું નથી” એવી તથાગતની વાણી “ધમ્મપદ 'માં માત્ર સિદ્ધાંતરૂપે રજૂ થઈ છે, જ્યારે મહાભારતમાં એ સિદ્ધાંત અનેક કથા, ઉપકથા અને બીજા પ્રસંગે દ્વારા સુરેખ રીતે વ્યંજિત થયેલ છે, એટલે તે વાચકને પિતાના રસપ્રવાહમાં ખેંચે જ જાય છે, ને જરાય કંટાળો આવવા. દેતું નથી. બુદ્ધની એ વાણી અશકે એવું જીવન જીવી શિલાલેખમાં મૂર્ત કરી છે, જ્યારે મહાભારતમાં એ વાણી કવિની રસવાહી શૈલી દ્વારા તેમ જ અતિહાસિક, અર્ધ ઐતિહાસિક અને કાલ્પનિક કથા-પ્રસંગે દ્વારા મૂર્ત થઈ છે. આમ મહાભારત અને તથાગતને મૂળ સૂર એક જ છે કે જીતનારના હાથમાં છેવટે પસ્તા ને દુઃખ જ રહે છે. લેખકે મહાભારતનો પરિચય આયમર્યાદાને ઉલટાવી નાખનાર યુદ્ધરૂપે આપેલ છે તે બરાબર છે. રામાયણ અને મહાભારતનાં કેટલાંક પાત્રો ઉપરથી જ આ અંતર સ્પષ્ટ થઈ જાય છે, જેમ કે રામ નિષ્ઠાવાન, તે યુધિષ્ઠિર તક જોઈ જૂઠું પણ બેલે; સીતા બધું હસતે મોઢે સહી લે, તે પતિભક્તા છતાં દ્રૌપદી પતિઓ અને બીજા વડીલેને પણ વાઘણની પેઠે ત્રાડી ઊઠી ઠપકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772