Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 757
________________ ૭૨૨ ] દર્શન અને ચિંતન ઈને વિદ્યાર્થી આ ચાલ્યા આવે. પેાતાની આસપાસના જ વિચાર કર્યાં કરવા અને ખીજે બીજે સ્થળે જે વિદ્યાધામેા આદર્શ રીતે ચાલતાં હોય તે તરફ ધ્યાન ન આપવું અને આપણી જૂની દૃષ્ટિ મુજબ જ નવી નવી સંસ્થા ઊભી કર્યાં કરવી એ ખરાબર નથી. ખરી રીતે જ્યાં જ્યાં આદર્શ વિદ્યાધામ હોય ત્યાં જઈ કામ કરી બતાવવું અને ત્યાંથી સાચી પ્રેરણા લઈ આવવી. એ વડે જ આપણી જ્ઞાનની ભૂમિકા ઊંચી થઈ શકે. આપણે ત્યાં સૂરિએ ધણાય છે, પણ મારે મન તે! એ જ સાચા સૂરિ છે કે જે સાર્વજનિક સંસ્થામાં જઈ કામ કરી શકે. અંતમાં મારે એટલુ' જ કહેવું છે કે તમે તમારા પુત્રના સમગ્ર ભવિઅને જેમ વિચાર કરે છે તેમ જે વિદ્યાથી હાય—વિદ્યાના અથી હાય~~~ તેના ભવિષ્યને પણ તમારા ભાઈ તરીકે જ વિચાર કરજો. આપણા ત્યાગી ગણાતા વર્ગની ભૂમિકા ઊંચી કરવી હાય અને પછીના યુગમાં તેમની પ્રતિષ્ઠા સાચવી રાખવી હોય તો મારી તમને સૌને એક જ સંદેશા છે કે માણસા—ચેતન—ગ્રંથીથી જ આપણા ત્યાગીવને સ્વતઃ પ્રેરણા મળશે, અને એ રસ્તે આપોઆપ તૈયાર થવાની ફરજ પડશે. ~~ પ્રમુદ્ જીવન, ૧ નવેમ્બર ૧૯૪૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772