________________
૭૨૨ ]
દર્શન અને ચિંતન
ઈને વિદ્યાર્થી આ ચાલ્યા આવે. પેાતાની આસપાસના જ વિચાર કર્યાં કરવા અને ખીજે બીજે સ્થળે જે વિદ્યાધામેા આદર્શ રીતે ચાલતાં હોય તે તરફ ધ્યાન ન આપવું અને આપણી જૂની દૃષ્ટિ મુજબ જ નવી નવી સંસ્થા ઊભી કર્યાં કરવી એ ખરાબર નથી. ખરી રીતે જ્યાં જ્યાં આદર્શ વિદ્યાધામ હોય ત્યાં જઈ કામ કરી બતાવવું અને ત્યાંથી સાચી પ્રેરણા લઈ આવવી. એ વડે જ આપણી જ્ઞાનની ભૂમિકા ઊંચી થઈ શકે. આપણે ત્યાં સૂરિએ ધણાય છે, પણ મારે મન તે! એ જ સાચા સૂરિ છે કે જે સાર્વજનિક સંસ્થામાં જઈ કામ કરી શકે.
અંતમાં મારે એટલુ' જ કહેવું છે કે તમે તમારા પુત્રના સમગ્ર ભવિઅને જેમ વિચાર કરે છે તેમ જે વિદ્યાથી હાય—વિદ્યાના અથી હાય~~~ તેના ભવિષ્યને પણ તમારા ભાઈ તરીકે જ વિચાર કરજો. આપણા ત્યાગી ગણાતા વર્ગની ભૂમિકા ઊંચી કરવી હાય અને પછીના યુગમાં તેમની પ્રતિષ્ઠા સાચવી રાખવી હોય તો મારી તમને સૌને એક જ સંદેશા છે કે માણસા—ચેતન—ગ્રંથીથી જ આપણા ત્યાગીવને સ્વતઃ પ્રેરણા મળશે, અને એ રસ્તે આપોઆપ તૈયાર થવાની ફરજ પડશે.
~~ પ્રમુદ્ જીવન, ૧ નવેમ્બર ૧૯૪૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org