Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 767
________________ પ૭૩ર ] દર્શન અને ચિંતન સાથે સરખામણી પણ કરી છે. એ ઓળખાણ અને સરખામણીને ટૂંક સાર એ છે કે આહંત, શ્વેતપટ અને કેશલુંચન એ ત્રણ ફિરકાઓ જૈન પરંપરાના છે અને એ યાદીમાં આવતું નવમું જૈન વિશેષણ બૌદ્ધ પરંપરાનું સૂચક છે. અત્યારે આપણે “જૈન” પદ સાંભળતાં જ મહાવીરના અનુયાયીઓને બોધ કરીએ છીએ, પણ બાણુના સમય સુધીમાં જૈન વિશેષણ મહાવીરના અનુયાયીઓ માટે ખાસ પ્રચલિત ન હતું. “જિન” શબ્દ ઉપરથી જૈન પદ બને છે. જિન શબ્દ જેમ મહાવીર આદિ તીર્થંકરનો સૂચક છે તેમ જ તે તથાગત આદિ ઇતર શ્રમણને પણ સૂચક છે. તેમ છતાં તે વખત સુધીમાં જૈન પદ મોટેભાગે બૌદ્ધ સમ્પ્રદાય માટે વપરાતું અને અત્યારે જાણીતા જૈન ફિરકાઓ તે કાળમાં અન્ય અન્ય વિશેષણ દ્વારા ઓળખાતા. અત્યારે શ્વેતાંબર, દિગમ્બર, સ્થાનકવાસી અને તેરાપંથ એમ ચાર મુખ્ય જૈન ફિરકાઓ છે, પણ બાણુના સમયમાં મુખ્ય ત્રણ હતા. દિગંબર, શ્વેતાંબર અને યાપિનીય. આ ત્રણ ફિરકાઓ અનુક્રમે આહંત, શ્વેતપટ અને કેશલુંચન એવાં વિશેષણોથી બાણે નિર્દેશ કર્યાનું તારણ શ્રી. અગ્રવાલજીએ કાઢયું છે. એ ગમે તેમ હો, છતાં એ ખરું કે બાણ જૈન પરંપરાના તત્કાલીન બધા ફિરકાઓથી પરિચિત હતો. યાપનીય સંઘ આજે જુદું અસ્તિત્વ નથી ધરાવત, પણ તે કાળે પ્રધાનતા ભગવતો. યાપનીય સાધુઓ રહેતા નગ્ન એટલે દિગંબર, પણ ઘણી બાબતમાં શ્વેતાંબર–તપટને મળતા આવતા, તેથી આખરે એ સંઘ જુદું અસ્તિત્વ ગુમાવી દિગંબર–શ્વેતાંબરમાં જ સમાઈ ગયા છે. મશ્કરી એટલે શે કે પાશુપત. તેઓ મસ્કર એટલે દંડ ધારણ કરતા. પાંડરિભિક્ષુ એ આજીવક પરંપરાના ભિક્ષુઓ. મહાવીરના સમકાલીન અને પ્રતિસ્પર્ધી ગૅશાલકની પરંપરામાં થનારા ભિક્ષુઓ આવક કહેવાતા. તેઓ પણ નગ્ન રહેતા. આજે આવક પરંપરા જુદી નથી રહી, પણ મારી દષ્ટિએ ગિરનાર, હિમાલય વગેરેમાં રહેતા નાગા બાવાઓની પરંપરામાં તે રૂપાંતર પામી છે. વણ તે નૈષ્ઠિક બ્રહ્મચારીને વર્ગ. કપિલ એ સાંખ્ય. કાયતિક એ ચાવક, કણાદ એ વૈશેષિક અને અશ્વરકારણિક એ નિયાયિક. ઔપનિષદ એ પ્રાચીન વેદાન્તી. કારબ્ધમી એ રસાયન બનાવનાર ધાતુવાદી, ધર્મશાસ્ત્રી એ સ્માર્ત. પૌરાણિક એ પુરાણજીવી. સાપ્તતન્તવ એ કર્મકાંડી મીમાંસક–જે સપ્તતંતુ એટલે યજ્ઞ કરે-કરાવે. શાબ્દ એ શબ્દબ્રહ્મવાદી વૈયાકરણ. શ્રી. અગ્રવાલજી લખે છે કે કુષાણ અને ગુપ્તકાળમાં ભાગવત ધર્મના અનેક ફાંટાઓ હતા, જેમાંથી ઉખાન વિષ્ણુ ઉપરાંત તેના સહચારી અર્ચ્યુત, સત્ય, પુરુષ અને અનિરુદ્ધની ઉપાસના કરતા; જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 765 766 767 768 769 770 771 772