Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 769
________________ ૭૬૪ ] દશન અને ચિંતન એવો કર્યો છે, પરંતુ ડો. અગ્રવાલની સૂમેક્ષિકાને પ્રશ્ન થયો કે સવારે ત્રણ વાગે લશ્કર સૂતું હોય ત્યારે વ્યાપારી અને અધિકારી સૌથી પહેલાં આવે કેવી રીતે? એ પ્રશ્નના ઉત્તરમાંથી તેમને સૂઝી આવ્યું કે “વ્યવહારિન ” ને અર્થ ઝાડૂ દેનાર જ ઘટે. સૌથી પહેલાં ઝાડૂ દેનારાઓ આવી સૂતેલ નોકરચાકરને જગાડી દે છે અને વ્યવહારિન ” એ પદ હિન્દી શબ્દ સુ”નું સંસ્કૃત રૂપ છે. “બુહારી ને અર્થ હિન્દીમાં ઝાડૂ કે સાવરણી થાય છે અને હિન્દીમાં સર્વત્ર ઝાડૂવાળા યા બુહારી દેનેવાલા–બુહારનેવાલા એમ વપરાય છે. શ્રી. અગ્રવાલની દૃષ્ટિ વસ્તુસ્થિતિના મૂળને કેવી રીતે પકડે છે એનું આ એક ઉદાહરણ છે. બાણે ભિન્ન ભિન્ન પ્રસંગે તે કાળમાં પ્રચલિત પ્રથાને અનુસરી અનેક ભાત, પિત અને જાતનાં વસ્ત્રોનું વર્ણન જુદાં જુદાં ખાસ નામેથી કરેલ છે. તે બધાં નામોને યથાવત અર્થ શું છે અને તેમાં વસ્ત્રત્વ એ સામાન્ય તત્વ હોવા છતાં કેટકેટલે અને કયા પ્રકારને તફાવત છે એ વિગતે (પૃ. ૭૬થી) શ્રી. અગ્રવાલે દર્શાવ્યું છે, જે વસ્ત્રની જાતે બનાવટો આદિના ઈતિહાસ ઉપર પુષ્કળ પ્રકાશ નાખે છે અને ભારતમાં કેટકેટલા પ્રકારની વસ્ત્રની જાતે અને રંગેનો વિકાસ થયો હતો તેની માહિતી પૂરી પાડે છે. સાથે જ ઈરાન, ચીન જેવા દેશમાં બનતાં અને વપરાતાં વસ્ત્રો ભારતમાં પણ વપરાવા લાગ્યાં હતાં અને એ દેશને વ્યાપાર તેમ જ અવરજવરને સંબંધ કેવો હતિ એવી એવી અનેક જ્ઞાતવ્ય બાબતનું પ્રકરણ તેઓ ઉમેરે છે, જેમાંથી અહીં તો માત્ર સ્તવરક અને બાંધણી (પૃ. 'ઉ૩) બેને નિર્દેશ કરીશું. સ્તવરક એ મૂળમાં ઈરાની બનાવટ છે. પહેલવી ભાષામાં સ્તવ કહેવાય છે, પણ ફારસી અને અરબીમાં તેને ઇસ્તબફ કહે છે. કુરાનમાં પણ એને ઉલ્લેખ છે. શ્રી. અગ્રવાલજીએ ગુપ્તકાલીન સૂર્યની મૂર્તિઓ ઉપરના જરીના કીમતી કોટના કપડાને તથા અહિચ્છત્રાથી પ્રાપ્ત સૂર્યની તેમ જ નર્તકીની મૃમેય પૂતળીઓના કોટ અને લેધાને એ જ સ્તવરકના બનેલ દર્શાવ્યા છે અને વરાહમિહિરે એ વેષને ઉદીચેષ તરીકે ઓળખાવ્યો છે તેની સંગતિ શ્રી. અગ્રવાલે બેસાડી છે ગુજરાતની પેઠે ભારતના બીજા અનેક ભાગમાં કપડાં ઉપર બાંધણીનું કામ અને રંગાટ થતાં. બાણે એવા વસ્ત્રને ઉલેખ કરેલ છે. તેની સમજૂતી શ્રી. અગ્રવાલે લગભગ આખા દેશમાં થતાં બાંધણીનાં કામોનું વર્ણન કરી અતિમનોરંજક આપી છે.' બાણે રાજાઓની વેષભૂષાના વર્ણનપ્રસંગે ત્રણ પ્રકારના પાયજામા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 767 768 769 770 771 772