Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 755
________________ ૭૨૦ ] દર્શન અને ચિંતન ભૂમિકા સારી હોવી ઘટે. જે આર્થિક ભૂમિકા નબળી રહી છે આ વિજ્ઞાનપ્રધાન યુગમાં સાયન્સ છેડી તત્ત્વજ્ઞાન કેણ લે છે અને આપણા ક્ષેત્રમાં તે આર્ટસ કૉલેજને જ ભાગ આવે છે, જે અત્યારે આર્થિક દૃષ્ટિએ નબળો છે. હજુ પણ એને આપણે નબળા જ રહેવા દઈએ તે તત્ત્વજ્ઞાન કે ઈન્ડલજીને અભ્યાસ, જે તરફ સમાજકલ્યાણની દૃષ્ટિએ આપણી ચાહના છે, તેને કોણ અપનાવે ? માણસ છેવટે ભણે છે તે તો ગુલામ થવા માટે નહિ, પણ પિતે પિતાની મેળે ઊભા રહી શકે તે માટે જ. એટલે જે તત્ત્વજ્ઞાનના કે ઈન્ડલેજના અભ્યાસીઓની આર્થિક ભૂમિકા સારી ન થાય તે એ ક્ષેત્રમાં પ્રથમ પંક્તિના માણસે નહિ પડવાના અને જે થર્ડ કલાસ (નીચી કેટીના ) માણસે જ મળવાના હોય તે એવા હજારે માણસે કે એવી હજાર સંસ્થાએથી પણ શું થઈ શકે ? આ આર્થિક ભૂમિકા સારી થવાની સાથે સાથે તત્ત્વજ્ઞાન જેવા શુષ્ક લાગતા ક્ષેત્રને ખેડનારના કામનું મૂલ્યાંકન અને તેની વિદ્યાની પ્રતિષ્ઠા પણ થવી ઘટે. અત્યારે તે સ્થિતિ કેવળ અર્થપ્રધાન દષ્ટિવાળી જ પ્રવર્તે છે. એમાં મૂલ્યાંકન કે પ્રતિષ્ઠાને જાણે અવકાશ જ નથી રહ્યો. એક સાદે દાખલે લઈ એ. તમારે કે મારે એક બહેન કે દીકરી હોય. તેની એગ્ય ઉમર થતાં એ કન્યા પિતે વર પસંદ કરી શકે એવી ન હય, અને આપણે એના માટે વરની પસંદગી કરવાની હેય. વિજ્ઞાનશાસ્ત્રી અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી વચ્ચે વરની પસંદગી કરવાની હોય તે પ્રતિષ્ઠા અને અર્થ બને દૃષ્ટિએ વિજ્ઞાનશાસ્ત્રીની જ પસંદગી થવાની એ નિઃશંક છે. આનો અર્થ એ નથી કે તત્ત્વજ્ઞાનને આપણે નકામું ગણીએ છીએ. તત્ત્વજ્ઞાનની પણ પૂરેપૂરી જરૂરિઆત આપણે સ્વીકારીએ જ છીએ. ફેર માત્ર એટલે જ કે વ્યવહારમાં તત્વજ્ઞાનને જે પ્રતિષ્ઠા અને આર્થિક ભૂમિકા મળવી ઘટે તે મળી નથી. પણ હવે આ સ્થિતિ વધુ વખત નભાવવા જેવી નથી, નહિ તો પ્રથમ પંક્તિને તત્ત્વજ્ઞાનના અભ્યાસીના ક્ષેત્રમાં આપણું દેવાળું જ નીકળી જવાનું. આ માટે આપણે આપણી વિભક્ત શક્તિઓને એકત્રિત કરવી ઘટે અને અત્યાર સુધી દ્રવ્ય (એટલે બાહ્ય વસ્તુ) ઉપર જે વજન મૂક્યું છે તેના બદલે ભાવ ઉપર વજન આપવું ઘટે. જે તાત્વિક કામ ન થતું હોય તે કેવળ દ્રવ્ય (નાણું) ભેગું કરવાનું છે અર્થ છે ? મને તે લાગે છે કે દરેક સંસ્થાએ દ્રવ્યની મર્યાદા રાખવી ઘટે. જે યોગ્ય માણસે નહિ હોય તે એ નાણાં શું કરી શકશે ? એટલે જેટલું બને તેટલું બધું નાણું માણસોને–ચેતન-ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772