SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯૩ હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા વાંચું છું ત્યારે એ બન્ને વ્યક્તિઓની વિશાળ દષ્ટિ અને દરેક પક્ષને વાજબી રીતે તળવાની તેમ જ કઈ પણ પક્ષને અન્યાય ન થાય તેવી રીતે ચર્ચા કરવાની સમતોલ વૃત્તિ પ્રત્યે ઊંડા આદરથી મસ્તક નમી પડે છે. એની જ સાથે જ્યારે હું શ્રી. પુરાણીના અહિંસા વિશેના દૃષ્ટિકોણને સરખાવું છું ત્યારે મને તદ્દન ખેચેખું એમ લાગે છે કે પુરાણી પિતાના ગુરુ શ્રી. અરવિંદ અને શ્રી. માતાજીના વિચાર અને ધ્યેયને જ જોખમાવી રહ્યા છે. “આદર્શ” નામના લેખમાં શ્રી અરવિંદે કહ્યું છે તે પિતાને વિશે કેટલું લાગુ પડે છે એ શ્રી. પુરાણ અંતર્મુખ થઈ વિચારી જુએ તે તેઓ ભાગ્યે જ સત્યને અન્યાય કરશે. શ્રી. અરવિંદ કહે છે: “એ પ્રચારક પિલા સ્કૂલ વ્યવહારુ ભાણસની કેટિનો જ છે. પેલા આદર્શ કે ભાવનાનો તે સાચે સ્વામી નથી છે, પણ તેને ગુલામ હોય છે. કોઈ બીજાની પકડમાં તે આવી ગયેલ હોય છે. એ ભાવના તેને ધકેલતી હોય છે. એની ઈચ્છાશક્તિ તે ભાવનાને આધીન થઈ ગયેલી હોય છે. એ ભાવનાને સારો પ્રકાશ તેને મળેલ નથી હોતો” (પૃ. ૯૯). આ સ્થળે હું દરેક જિજ્ઞાસુને ઉપર સૂચવેલા લેખ ફરી ફરી સમજપૂર્વક વાંચી જવા ભલામણ કરું છું. જે એ લેખો વાંચી શ્રી. પુરાણીની અહિંસા વિશેની ચર્ચા વાંચશે તેને મારું કશન વજૂદવાળું છે કે નહિ તેની ખાતરી થયા વિના નહિ રહે. કઈ એક ભાઈ, જે શ્રી અરવિંદાશ્રમમાં રહેતા હશે અને પછી અમદાવાદ જઈને પિતાના કામમાં પડ્યા હશે, તેમને સંબંધી શ્રી. પુરાણીએ પિતે જ એક લાંબે પત્ર લખેલ છે, જે ખરી રીતે એક સુસંબદ્ધ લેખ છે. એ પત્ર પ્રથમ વર્ષના ત્રીજા અંકમાં “કર્મ અને કર્મગ' એ મથાળા નીચે છપાયેલું છે. શ્રી. પુરાણીને આ પત્ર અને તેમને અહિંસા વિશે દૃષ્ટિકોણ બંને સરખાવું છું ત્યારે મારી સમજમાં જ એ નથી આવતું કે તેઓ અમદાવાદવાળા પિતાના પરિચિત સાધક મિત્રને જે સલાહ ગંભીરપણે આપી રહ્યા છે તે જ સલાહને વ્યાપક રીતે આપમેળે જીવનમાં ઉતારનાર ગાંધીજીના અહિંસક કર્મવેગને તેઓ શા માટે અવગણતા હશે? શ્રી. પુરાણ સ્પષ્ટ લખે છે: “જે કામ લીધું હોય, યા તે પ્રકૃતિની એજનામાં જે આપણે કરવાનું આવ્યું હોય, અને જેના પ્રત્યે આપણે અંતરાત્મા વિરેાધ કે પ્રતિ રોધ કરતા ન હોય તે તે કામ કરવામાં આપણું આધ્યાત્મિક પ્રગતિને કઈ જાતને બાધ આવતું નથી, એ વાત ઘણું લેકે સમજતા નથી.” * પૃ. ૧૫૮). આ સ્થળે હું અત્યંત વિનમ્રભાવે શ્રી. પુરાણને પૂછવા ઈચ્છું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy