________________
૬૯૪ ]
દર્શન અને ચિંતન છું કે તમે કમંગ માટે જે વિધાન કર્યું છે તે વિધાનને વધારે વ્યાપક રૂપમાં અને સ્વયંભૂ સ્કૂર્તિથી ગાંધીજીએ અમલમાં મૂક્યું અને તેની દુનિયાના બધા જ ભાગમાં ઓછેવત્તે અંશે ઊંડી અસર થઈ શું એ જ ગાંધીજીના કર્મવેગની ખામી છે ? શ્રી. પુરાણીની દૃષ્ટિએ એમ હવાનો સંભવ છે કે શ્રી. અરવિંદની આધ્યાત્મિકતા ગાંધીજીની આધ્યાત્મિકતા કરતાં ઘણું જ ઉન્નત છે, એની સરખામણીમાં ગાંધીજીની આધ્યાત્મિકતા હોય તે એ બહુ સાધારણ કેટિની છે. તેમની આ માન્યતા હોય તે તે સામે મારે કશું જ કહેવાનું નથી. હું જે કહેવા ઈચ્છું છું તે તો એટલું જ છે કે ગાંધીજીમાં પ્રકટેલું નર, પછી એને નામ આધ્યત્મિક આપે કે વ્યાવહારિક, પણ તે નર અને તેણે સ્થાપેલા માર્ગો શ્રી. માતાજીના વિશ્વસંવાદને મૂર્ત કરતા હોય તેવા છે. આ બધું આખી દુનિયાના ઊંડામાં ઊંડા વિચારકેને તે દીવા જેવું દેખાય છે. શું મારા જેવાએ આ બધા તટસ્થ અને સૂક્ષમ વિચાર કરતાં શ્રી. પુરાણીનું દષ્ટિબિન્દુ વધારે તટસ્થ અને સારગ્રાહી સમજવું? મન ના પાડે છે.
આટલી પ્રરતાવના પછી પુરાણીએ ચર્ચેલ મુદ્દાઓમાંથી થોડાક તારવી મારી પોતાની ભાષામાં અહીં રજૂ કરી તેની સમીક્ષા કરવા હું ધારું છું. તે મુદ્દા આ રહ્યા–
(૧) શુદ્ધ આદર્શ તેમ જ વ્યવહારની દૃષ્ટિએ અહિંસા વિશે વિચાર
(૨) આધ્યાત્મિક સત્ય લેખે તેમ જ જીવનોપયોગી સત્ય લેખે અહિંસાનો વિચાર. " (૩) આત્મરક્ષા તેમ જ ધર્મ, ન્યાયની સ્થાપના જેવા સારા હેતુ માટે પ્રાચીનએ શસ્ત્રયુદ્ધને માર્ગ સ્વીકારેલો તેની, તે જ હેતુ માટે વપરાતી અહિંસક પદ્ધતિ સાથે સરખામણી.
પહેલા મુદ્દામાં શુદ્ધ આદર્શની દષ્ટિએ અહિંસાની અશક્યતા બતાવતાં પુરાણીની દલીલ એ છે કે જીવન જીવવું હોય તે બીજાનું જીવન પિતામાં સમાવ્યા સિવાય તે જિવાતું જ નથી. ગી નીવય મHM કે મોટું માછલું નાના માછલાને ગળે એ કહેવત જીવનનો સિદ્ધાંત જ રજૂ કરે છે. ખાવાપીવા, બેસવા આદિમાં થતી ઓછામાં ઓછી હિંસા કે શાકાહાર જેવા તદ્દન સાદા ખેરાકમાં થતી અતિ અલ્પ હિંસા પણ ખરી રીતે હિંસા જ છે. શુદ્ધ આદર્શની દષ્ટિએ ઓછી કે વત્તી, નાની કે મોટી હિંસામાં ફેર પડતો જ નથી. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org