SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [ zev તેઓ કહે છે કે શુદ્ધ આદર્શની દૃષ્ટિએ અહિંસા શકય જ નથી. ત્યારબાદ તે વ્યવહારુ રીતે અહિંસાની શક્યાશક્યતા વિશે વિચાર કરતાં પ્રતિપાદન કરે છે કે વ્યવહારુ દૃષ્ટિએ પણ અત્યારે અહિંસા શક્ય નથી. તેની લીલ એ છે કે જો એક માણુસ પણ સંપૂર્ણ અહિંસા આચરી શકતા નથી તે આખી પ્રજા કે આખા સમાજ પાસે અહિંસાના પાલનની આશા રાખવી એ તો આખા સમાજ પાસેથી શહીદી આચરવાની આશા રાખવા ખરાખર છે, કે જે કદી શક્ય નથી. શ્રી. પુરાણીની વિચારપતિને મોટામાં મોટા અને તરત જ નજરે ચડે એવા દોષ એ છે કે તેઓ ગાંધીજીની અહિંસક કાર્ય પદ્ધતિની અપૂર્ણતા અને વ્યવહારુતા ખતાવવાની એકમાત્ર તેમથી જ વિચાર કરવા ખેડા છે. તેથી તે શુદ્ધ આદર્શ અને વ્યવહારુ ષ્ટ એવા એ વિકલ્પે માત્ર ખડનદષ્ટિએ ઊભા કરે છે. માત્ર ખંડનદષ્ટિથી ઊભા કરવામાં આવતા વિકા, તક અને દર્શનશાસ્ત્રમાં શુષ્કવાદ કે અધમ વાદ તરીકે જાણીતા છે, કારણ કે એવા વિકલ્પો ઊભા કરી યેન કેન પ્રકારેણ સામા પક્ષનું ખંડન કરવું એમાં ખુલ્લી રીતે સત્યની અવગણના હાય છે. પુરાણી પેાતાની આખી ચર્ચા દરમ્યાન શુષ્કવાદ કે અધર્મવાદના ભાગ બન્યા છે. તેઓ ખંડનદષ્ટિના એકપક્ષી વહેણમ પાતાના ગુરુ શ્રી. અરવિંğ વિધાન જ ભૂલી જાય છે. શ્રી. અરિવંદે પોતે જ કહ્યું છે કે પૂર્ણ આદર્શ હંમેશા અસિદ્ધ જ રહે છે, છતાં એની પ્રેરણા જ વ્યવહારુ અમલમાં પ્રાણદાયી નીવડે છે અને વ્યવહારમાં ઉત્તરાત્તર માણસને આગળ વધારે છે. ગાંધીજી પણ અહિંસા વિશે ખીજું શું કહેતા અને માનતા ? તેઓએ અનેક વાર કરીકરીને કહ્યું છે કે પૂર્ણ અહિંસા તા પરમેશ્વરમાં જ સંભવે, પણ માણસને ધમ એ છે કે એની દિશામાં પોતાથી ખનતું બધું જ પ્રામાણિકપણે કરી છૂટે. એમ કરનાર જ કાંઈક ને કાંઈક આદર્શોની નજીક જતા જાય છે. ગાંધીજી પાતે જ પોતાની અહિંસક પતિને અહિંસાના શુદ્ધ આદર્શને સંપૂર્ણ પણે અમલમાં મૂકનાર તરીકે નથી ઓળખાવતા, તો પછી એ પતિને એ દૃષ્ટિએ વગેાવવી તે ખેદું નહિ તેા શું છે ? વ્યવહારુ દૃષ્ટિએ પણ કાઈ એક વ્યક્તિ પાસેથી યા આખા સમાજ પાસેથી ગાંધીજીએ સંપૂર્ણ અહિંસા-પાલનની આશા રાખી જ નથી. તેઓ પોતે પણ પેાતાને સંપૂર્ણ પણે અહિંસાના આચરનાર તરીકે ઓળખાવતા નહિ. એવી સ્થિતિમાં સ’પૂર્ણ પણે વ્યક્તિ કે સમાજ અહિંસા આચરી ન શકે એમ અતાવી વ્યવહારુ દૃષ્ટિએ પણ અહિંસક પદ્ધતિની ખામી ખતાવવી એ નયુ Ο અજ્ઞાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy