SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ] દર્શન અને ચિંતન પ્રકૃતિના બંધારણમાં જ હિંસાને સ્થાન છે એમ કહી પુરાણી હિંસા વિના જીવનને અશક્ય બતાવે છે, તે પણ હિંસા કે અહિંસાના અના વિપર્યોસ રવા ખરાખર છે. અહિંસાને સિદ્ધ કરનાર સંતો પ્રકૃતિના બંધારણની વાત ખરાખર જાણતા, તેથી જ તેમણે પ્રકૃતિના તંત્રમાં રહેનાર દરેકને માટે એટલું જ સૂચવ્યું છે કે માણસ પેાતાના પ્રત્યે ખીજાની પાસેથી જે અને જેવા વ્યવહારની આશા રાખે તે અને તેવા જ વ્યવહાર તેણે બીજા પ્રત્યે આચરવા. આવી આત્મૌપમ્યની સાચી ભાવનાને પ્રામાણિકપણે અમલમાં મૂકવી અને ઉત્તરાત્તર વિકસાવવી તે જ વાસ્તવિક અહિંસા છે. સતાએ અહિંસાના અનુભવેલ અને બતાવેલ આ સ્વરૂપમાં આછા કે વત્તા, નાના કે મેટા જીવાના નાશ ઉપર ઓછીવત્તી કે નાનીમોટી હિંસાની ગણતરીને સ્થાન નથી. અહિસાના ઉપર સૂચવેલા સ્વરૂપમાં ખીજા પ્રાણી પ્રત્યે સમદષ્ટિ કેળવવી એ એક જ વસ્તુ મુખ્યપણે સમાયેલી છે. સમદષ્ટિ દ્વારા જ પ્રકૃતિના આસુરી બધારણમાંથી દૈવી સ્વરૂપ તરફ આગળ વધાય છે, એ ગીતામાં ઠેર ઠેર કહ્યું છે. એટલે પેાતાના અને ખીજાના વચ્ચે વિષમદૃષ્ટિમૂલક વ્યવહાર તે હિંસા અને સમદષ્ટિમૂલક વ્યવહાર તે અહિંસા, આ વસ્તુ સમાન્ય છે. કાઈ પણ પ્રાણીને દેખીતા નારા ન થતા હોય ત્યારે પણ હિંસા સંભવે અને ધણીવાર દેખીતા નાશ થતા હાય છતાં તેમાં હિંસા ન પણ હેાય. આવી વસ્તુસ્થિતિ હાવા છતાં માત્ર પ્રાણીવધ કે જીવનાશને જ હિંસા માની જીવન જીવવામાં અહિં - સાની અશકયતા ખતાવવી એ તે દૈવી પ્રકૃતિને અગર તે તરફ પ્રયાણુ કરવાના ઇન્કાર કરવા ખરાખર છે. ખીજા મુદ્દાના સંબંધમાં આધ્યાત્મિક સત્ય તરીકે અહિંસાનું જે મૂલ્યાંકન પુરાણીએ કર્યું છે તે સાચુ છે. તેએ કહે છે કે, ' આધ્યાત્મિક ઉન્નતિને માટે અહિંસાનું આચરણ કરનાર માણસ એક એવી ચેતનાવસ્થાને પહેાંચવા માગે છે, જેમાં સર્વ પ્રકારનાં પ્રેરક અને ઉત્તેજક કારણેાની વચ્ચે પણ પોતે શાંત અને અહિંસામય રહી શકે. એની દૃષ્ટિએ અંતરની અહિંસાવાળી સ્થિતિ જાળવવી એ જ મુખ્ય ધ્યેય છે. અંતરની અહિંસામય સ્થિતિને જરા પણ ભંગ ન થાય એ એને મન અતિ આવશ્યક છે. અહિં‘સાના પાલનથી કાઈ ખાદ્ય પરિણામેા આવે છે કે નહિ એ બાબત એને મન ગૌણ હોય છે.' આધ્યાત્મિક સત્ય લેખે ગાંધીજીમાં અહિંસા સિદ્ધ થઈ હતી કે નહિ તેની સાબિતી અનેક પ્રસંગે મળી ચૂકી છે. અને તેમના ગમે તેવા વિરાધીએ પણ એ વાત સ્વીકારી છે કે ગાંધીજી પ્રશ્નલમાં પ્રબલ ઉત્તેજક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004634
Book TitleDarshan ane Chintan Part 1
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages772
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy