Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 733
________________ ૧૯૮] દર્શન અને ચિંતન એ થયો કે ગીતાકારના સમય સુધીમાં આર્ય માનસ અને આર્ય પ્રજાએ જે પ્રગતિ કરી હતી તે છેવટની ન હતી. તેથી જ એક આર્ય પુરુષ એવો પ્રકટયો કે જેણે પિતાના પૂર્વજોએ પ્રારંભેલ માર્ગમાં ઘણું મટી ફાળ ભરી. જે વેગની બાબતમાં આ વસ્તુ સાચી હોય તે ક્ષત્રિયની ભાવનાની બાબતમાં એ વાત શાને વિસારવી જોઈએ ? આર્ય ક્ષત્રિયત્વની ભાવનાને ગીતાએ પ્રતિપાદેલ સિદ્ધાંત મૂળે તે એટલે જ છે કે આત્મરક્ષા કે સામાજિક સગુણે કે અન્ય પ્રકારના ન્યાય માટે તેજસ્વી અને સમજદાર માણસોએ. જાનને જોખમે પણ બધું જ કરી છૂટવું. જ્યાં લગી શરા ધર્મવીરને શસ્ત્રને માર્ગ જાણતા હતા ત્યાં લગી તેઓએ તે આચર્યો. હવે બીજા કોઈ પુરુષમાં આર્ય ક્ષત્રિયત્વની ભાવના અન્ય રૂપે પ્રકટ ન જ થઈ શકે અથવા ન જ થવી જોઈએ એવું તે કાંઈ ગીતાએ કહ્યું નથી. ગાંધીજીએ તે આર્ય ક્ષત્રિયત્વની ભાવના ને જ એક નવો આકાર આપે છે. એમણે શૌર્ય, નિર્ભયતા વગેરે બધા જ ક્ષત્રિયગ્ય સદ્ગુણોને વિકસાવવા ઉપર વધારેમાં વધારે ભાર આપી પિતાના જીવન દ્વારા એ બતાવી આવ્યું છે કે જન્મથી ક્ષત્રિય ન લેખાતે એવો માનવી પણ ક્ષત્રિય-મૂર્ધન્ય થઈ શકે છે અને તે પણ શસ્ત્ર ઉઠાવ્યા. વિના કે વિધીનું ગળું કાપ્યા વિના. એટલે પુરાણીની જ ભાષામાં કહેવું હેય તે એમ કહી શકાય કે ગીતાએ પ્રતિપાદેલ શસ્ત્રધારીનું ક્ષત્રિયત્વ પૂર્ણ થયું અને ગાંધીજીનું અહિંસક ક્ષત્રિયત્વ નવે રૂપે અવતર્યું. આર્ય પ્રજામાં કાંઈ પણ આર્ય જેવી વિશેષતા હોય તે તે ગાંધીજીએ સિદ્ધ કરી બતાવી છે. એટલે આ બાબતમાં પુરાણીએ આર્ય ક્ષત્રિયધર્મના નાશથી ડરવાની જરૂર નથી. આત્મા નિત્ય ફૂટસ્થ હેઈહ હણાતું નથી અને દેહ તે વિનશ્વર જ છે એ ગીતાના કથનને આશ્રય લઈ પુરાણુએ તેને ભારે દુરુપયોગ કર્યો છે. તેઓ કહે છે, “હિંસાથી આત્મા તે નાશ પામતું નથી. શરીરની હિંસાને એટલું બધું મહત્ત્વ આપવું એ પણ એક લેખે અતિશયોક્તિભરેલું લાગે છે.” ગીતાનું એ મંતવ્ય તાત્વિક રૂપે ખોટું નથી, પણ તેને ઉપયોગ ક્યા હેતુસર ક્યાં અને કેવી રીતે કરે એ જ પ્રશ્ન છે. પુરાણીનું કથન વાચકમાં અહિંસાવૃત્તિને ઉત્તેજવા કરતાં હિંસાવૃત્તિને વધારે ઉત્તેજે એવું છે. સાધારણ રીતે મનુષ્યમાત્રમાં હિંસાને–બીજાને ભેગ લેવાનો-સંસ્કાર એટલે પ્રબળ હોય છે એટલે બીજા માટે ઘસાવાને સંસ્કાર પ્રબળ નથી હોતો. એટલે પુરાણનું વિધાન વાંચનાર સામાન્ય માણસ એમ જ માનવા પ્રેરાય કે આત્મા તો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772