Book Title: Darshan ane Chintan Part 1
Author(s): Sukhlal Sanghavi
Publisher: Sukhlalji Sanman Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 703
________________ ૧૬૮ ] દર્શન અને ચિંતન ખેતરેથી દૂર રાખે તેમ. પરંતુ જ્યારે મનમાં કુશળ વિતર્ક આવે ત્યારે તે વિતર્કો મારા, બીજાના અને બધાના હિતમાં કેવી રીતે છે એને વિચાર કરી સતત જાગૃતિથી હું એ કુશળ વિતનું જતન કરત. બહુ વિચાર કરતાં બેસી રહેવાથી શરીર થાકી જાય ને શરીર થાકે તે મન પણ સ્થિર ન થાય, એમ -ધારી હું કુશળ વિતર્કો આવે ત્યારે મનને માત્ર અંદર જ વાળ. જેવી રીતે ખેતરમાંથી પાક લણાયા પછી ગોવાળ ને ખેતરોમાં છૂટાં મૂકી દે છે, માત્ર દૂર રહી એના ઉપર દેખરેખ રાખે છે, તેમ હું કુશળ વિતર્કો આવે ત્યારે એની દેખરેખ રાખત, પણ મનને નિગ્રહ કરવાનો પ્રયત્ન ન કરો.” બુદ્ધને આ અનુભવ તેમણે સાધેલ મારવિજયને સૂચક છે. બૌદ્ધ ધર્મમાં બ્રહ્મવિહારનો મહિમા વેદાંતીઓના બ્રહ્મના મહિમા જેવો જ છે. તેથી બ્રહ્મવિહાર વિશે થોડુંક વધારે સ્પષ્ટીકરણ આવશ્યક છે. બ્રહ્મ એટલે જીવલેક. તેમાં વિહાર કરવો એટલે સમગ્ર જીવસૃષ્ટિ સાથે પ્રેમમૂલક વૃત્તિઓ કેળવી સૌની સાથે સમાનપણું સાધવું. આ વૃત્તિઓને મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એમ ચાર ભાગમાં વહેંચવામાં આવી છે. એનું મહત્વ શ્રી. ધર્મનન્દ કસબીએ પાલિદેને આધારે દર્શાવ્યું છે તે તેમના જ શબ્દોમાં ટૂંકમાં વાંચીએ: “માતા જેમ ધાવણ છોકરાનું મૈત્રીથી (પ્રેમથી) પાલન કરે છે, તે માંદું થાય ત્યારે કરણથી તેની સેવા કરે છે, પછી વિદ્યાભ્યાસાદિકમાં તે હોશિયાર થાય એટલે મુદિત અંતઃકરણથી તેને થાબડે છે, અને ત્યાર પછી જ્યારે તે સ્વતંત્રપણે સંસાર શરૂ કરે, અથવા પિતાના મતથી વિરુદ્ધ રીતે વર્તવા લાગે ત્યારે તેની ઉપેક્ષા કરે છે; કદી તેને ઠેષ કરતી નથી, અને તેને મદદ કરવા હંમેશ તૈયાર હોય છે, તે પ્રમાણે જ મહાત્માઓ આ ચાર શ્રેષ્ઠ મનોવૃત્તિઓથી પ્રેરિત થઈને જનસમૂહનું કલ્યાણ કરવા તત્પર હોય છે.” ગૂઢ અને અણઊકલ્યા પ્રશ્નોથી વેગળા રહેવાનું બુદ્ધનું વલણ સમજવા માટે તેમને માલુક્યપુત્ર સાથે વાર્તાલાપ ટૂંકમાં જાણી લે ઠીક થશે. ક્યારેક માસુંઠ્યપુત્રે બુદ્ધને પૂછયું કે, “તમે તે બીજા આચાર્યો નિરૂપે છે તેમ જગતના આદિ, અંત કે મૂળ કારણ વિશે તેમ જ નિર્વાણ પછીની સ્થિતિ આદિ વિશે કાંઈ કહેતા નથી, તે હું તમારે શિષ્ય રહી નહિ શકું.' બુદ્ધ જવાબ આપતાં કહે છે કે, “જ્યારે મેં તને શિષ્ય બનાવ્યું ત્યારે શું વચન આપેલું કે એવા અવ્યાકૃત પ્રશ્નોને હું જવાબ આપીશ ? શું તેં પણ એમ કહેલું કે જે એવા પ્રશ્નોને જવાબ નહિ આપે તે હું શિષ્ય રહી નહિ શકું ?” ભાલુંઠ્યપુત્રે કહ્યું, “ના, એ કઈ કરાર હતે જ નહિ.' બુદ્ધ કહે છે, “તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772