Book Title: Bhavantno Upay Samayikyoga
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 178
________________ એસો પંચનમુક્કારો ॥૬॥ એ પાંચેને કરેલ નમસ્કાર. ૬ ના સવ્વપાવપ્પણાસણો સર્વ પાપનો નાશ કરનાર છે. ૭ મંગલાણં ચ સવ્વેસિં વળી સર્વ મંગલમાં. પઢમં હવઈ મંગલં તા પ્રથમ મંગલ (ક્લ્યાણરૂપ) છે. ८ પદ (૯) સંપદા (૮) ગુરુ (૭) લઘુ (૬૧) સર્વવર્ણ (૬૮). ઇતિ નવકાર સૂત્ર. ૧ નમો અરિહંતાણં ॥૧॥ * કેવળજ્ઞાન પામીને ભવ્યજીવોને બોધ દેતા અગર બોધ દેવાને વિચારતા તીર્થંકર મહારાજા તે શ્રી અરિહંત. તેમના બાર ગુણ આ પ્રમાણે૧ અશોક વૃક્ષ જ્યાં ભગવંતનું સમવસરણ રચાય ત્યાં ભગવંતના દેહથી બાર ગણું આસોપાલવનું વૃક્ષ દેવતા રચે છે. જેની નીચે બેસી ભગવંત ધર્મોપદેશ આપે છે તે. = ૨ સુરપુષ્પવૃષ્ટિ – એક યોજન પ્રમાણ સમવસરણ ભૂમિમાં જળ-સ્થલમાં ઉત્પન્ન થયેલ સુગંધી પંચવર્ણા અચિત્ત ફૂલોની વૃષ્ટિ ઢીંચણ પ્રમાણ દેવતા કરે છે તે. ૩ દિવ્ય ધ્વનિ – ભગવંતની વાણીને માલકોશ રાગ, વીણા, વાંસળી, આદિકના સ્વરવડે દેવતા પૂરે તે. ૪ ચામર રત્નજડિત સુવર્ણની દાંડીવાળાં ચાર જોડી શ્વેત ચામરો સમવસરણમાં દેવતાઓ ભગવંતને વીંઝે છે તે. - ૫ આસન – ભગવંતને બેસવાને રત્નજડિત સુવર્ણમય સિંહાસન દેવતાઓ સમવસરણમાં રચે છે તે. ૬ ભામંડળ – ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્યના કિરણ જેવું ઉગ્ર તેજવાળું ભામંડળ (તેજનું માંડલું) દેવતા રચે છે તે. તે ભગવંતના તેજને પોતાના તેજમાં સંહરી લે છે, તે ન હોય તો ભગવંતના મુખ સામું જોઈ સામાયિકયોગ * ૧૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232