________________
એસો પંચનમુક્કારો ॥૬॥ એ પાંચેને કરેલ નમસ્કાર. ૬
ના
સવ્વપાવપ્પણાસણો સર્વ પાપનો નાશ કરનાર છે. ૭ મંગલાણં ચ સવ્વેસિં વળી સર્વ મંગલમાં.
પઢમં હવઈ મંગલં તા પ્રથમ મંગલ (ક્લ્યાણરૂપ) છે. ८
પદ (૯) સંપદા (૮) ગુરુ (૭) લઘુ (૬૧) સર્વવર્ણ (૬૮). ઇતિ નવકાર સૂત્ર. ૧
નમો અરિહંતાણં ॥૧॥
* કેવળજ્ઞાન પામીને ભવ્યજીવોને બોધ દેતા અગર બોધ દેવાને વિચારતા
તીર્થંકર મહારાજા તે શ્રી અરિહંત. તેમના બાર ગુણ આ પ્રમાણે૧ અશોક વૃક્ષ જ્યાં ભગવંતનું સમવસરણ રચાય ત્યાં ભગવંતના દેહથી બાર ગણું આસોપાલવનું વૃક્ષ દેવતા રચે છે. જેની નીચે બેસી ભગવંત ધર્મોપદેશ આપે છે તે.
=
૨ સુરપુષ્પવૃષ્ટિ – એક યોજન પ્રમાણ સમવસરણ ભૂમિમાં જળ-સ્થલમાં ઉત્પન્ન થયેલ સુગંધી પંચવર્ણા અચિત્ત ફૂલોની વૃષ્ટિ ઢીંચણ પ્રમાણ દેવતા કરે છે તે.
૩ દિવ્ય ધ્વનિ – ભગવંતની વાણીને માલકોશ રાગ, વીણા, વાંસળી, આદિકના સ્વરવડે દેવતા પૂરે તે.
૪ ચામર રત્નજડિત સુવર્ણની દાંડીવાળાં ચાર જોડી શ્વેત ચામરો સમવસરણમાં દેવતાઓ ભગવંતને વીંઝે છે તે.
-
૫ આસન – ભગવંતને બેસવાને રત્નજડિત સુવર્ણમય સિંહાસન દેવતાઓ સમવસરણમાં રચે છે તે.
૬ ભામંડળ – ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્યના કિરણ જેવું ઉગ્ર તેજવાળું ભામંડળ (તેજનું માંડલું) દેવતા રચે છે તે. તે ભગવંતના તેજને પોતાના તેજમાં સંહરી લે છે, તે ન હોય તો ભગવંતના મુખ સામું જોઈ
સામાયિકયોગ
* ૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org