Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 51
________________ જ ભારતમાં મૂર્તિપૂજાની વિભાવના અને મૂર્તિવિધાનનાં લક્ષણ ભારતમાં જે મૂતિ કલા ઉદ્દભવી અને વિકસી તેના મૂળમાં ધમ રહેલું છે. ભારત જેવા દેશમાં જુદા જુદા ઘણા સમ્પ્રદાયે ઉદ્દભવ્યા છે અને વિકસ્યા છે અને દરેક સંપ્રદાયે પિતાની આગવી મૂર્તિ કલા જન્માવી છે અને વિકસાવી છે. આ રીતે સાંપ્રદાયિક દૃષ્ટિબિંદુથી મૂતિઓનું વર્ગીકરણ કરતાં તેમાં બ્રાહ્મણ ધર્મની મૂતિઓ, બૌદ્ધ મૂતિઓ અને જૈન મૂતિઓને સમાવેશ કરી શકાય. તેવી જ રીતે વેદની મૂર્તિઓ એટલે કે વેદના વિચારો પર આધારિત મૂર્તિઓ પૌરાણિક મૂતિઓ કે જે પુરાણના વિચારમાંથી તૈયાર થયેલી હેય, તાંત્રિક મૂતિઓ કે જે તંત્રના સિદ્ધાંતો પર તૈયાર થયેલી હોય વગેરે પ્રમાણે પણ વગીકરણ કરી શકાય. તેવી જ રીતે બ્રાહ્મણધર્મની મૂર્તિઓમાં પણ શૈવમૂર્તિઓ, વૈષ્ણવ મૂર્તિઓ સૌર મૂતિઓ વગેરે ગણાવી શકાય. આ રીતે મૂતિઓના અનેક રીતે પ્રકારે પાડી શકાય છે. ટૂંકમાં મૂતિઓના વગીકરણ માટે વિશાળ વિભાગમાંથી નાના સાંકડા વિભાગમાં જવું પડે છે. (આ) તાલમાન: આપણા પ્રાચીન શિલ્પકારોએ મૂર્તિના પાંચ ભાગ પાડયા છે. જેમ કે, નર, ક્રર, અસુર, બાલ તથા કુમાર. આ પાંચ પ્રકારની મૂર્તિ ઘડવા માટે જુદા જુદા પ્રકારના પાંચ તાલ તથા માન નક્કી કરવામાં આવ્યાં છે એ નીચે પ્રમાણે છેઃ નરમૂતિ #રમતિ અસુરમૂર્તિ દશ તાલ બાર તાલ સોળ તાલ બાલમૂતિ પાંચ તાલ કુમારમતિ છ તાલ પ્રતિમા વિધાનમાં સૌથી વધુ ધ્યાન આપવા લાયક વસ્તુ હોય તે તે તેના પ્રત્યેક અંગોને તૈયાર કરવામાં મૂર્તિના કદ પ્રમાણેનું યોગ્ય માને છે. માનને

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90