Book Title: Bharatma Murtipujani Vibhavna ane Murti Vidhanna Lakshano
Author(s): J P Amin
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 83
________________ os ભારતમાં મૃતિપૂજની વિભાવના અને મતિવિધાનનાં લક્ષણ કે તે કયા તીર્થકરની મૂર્તિ છે. દેવદેવીઓનાં વાહન, તેમના સ્વભાવ, રૂચિ અને તેમના વિશિષ્ટ ગુણ–ધર્મના સૂચક હોય છે. જેમ કે ઉગ્ર દેવતાઓનાં વાહન પ્રેતાદિ હેવ છે. દેવી ચંડીનું વાહન વ્યાઘ કે સિંહ છે. વિભિન્ન દેવ-દેવીઓનાં વાહન આ પ્રમાણે છે : ૧. બ્રહ્મા–હંસ ૧૦. અગ્નિ—ઘેટું ૨. વિષ્ણુ–ગરૂડ ૧૧. ચંડી-વ્યાઘ કે સિંહ ૩. શંકર–નંદ ૧૨. નિતિ –શ્વાન, કુતરે ૪. ગણેશ–ઉંદર ૧૩. વરુણુ–મગર ૫. સરસ્વતી–મેર, હંસ ૧૪. ગંગા–મગર ૬. સૂર્ય–સપ્તાશ્વરથ ૧૫. વરાહ–નાગ ૭. ઈન્દ્ર-હાથી, અરાવત ૧૬. નટરાજ–દૈત્ય ૮. વાયુ-હરણ ૧૭. બાલકૃષ્ણ--કાલયનાગ ૯. યમ–મહિષ ૧૮. વામન–બલિ. (9) પીઠિકા : પીઠિકા એટલે જેની ઉપર હંમેશ બેસી શકાય તેવું આસન, ર. ત. પૌરાણિક યુગમાં દેવ, રાજ, મહારાજા વગેરેનાં આસનો નિશ્ચિત હતા. ગણેશ હંમેશા સિંહાસન ઉપર બિરાજમાન હોય છે. પરંતુ હનુમાન માટે એવું કંઈ નિશ્વિત આસન નથી. હનુમાન તે રામના ચરણે પાસે નમસ્કાર મુદ્રામાં બેઠેલા. હોય છે. તો કવચિત ઊભી મુદ્રામાં એક હાથમાં ગદા અને બીજા હાથમાં પર્વત ધારણ કરેલ હોય છે અથવા તેઓ અંજલિ મુદ્રામાં પણ ઊભા હોય છે. એવી જ રીતે બાલકૃષ્ણનું પણ કેઈ નિશ્ચિત આસન નથી. અલબત્ત, રાજવી સ્વરૂપમાં કૃષ્ણ સિંહાસન પર બેઠેલા હોય છે. દ્રવિકી ગ્રંથોમાં પીઠિકા વિષયક વર્ણને ખૂબ જ મળે છે. જેમાં નવ પ્રકારની પીઠિકાઓ જણાવી છે. ૧. ભદ્રપીઠ ૬. પીઠબળ ૨. પદ્મપીઠ ૭. મહાવજ ક, મહામ્મુજ પીઠ ૮. સૌમ્ય ૪. વાપીઠ ૯. શ્રીકામ્ય ૫. શ્રીધર

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90