Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 13
________________ દાન જાહેર કર્યા પછી તરત જ જમા કરાવી દેવું જોઈએ દાનમાં જે રકમ આપવાનો સંકલ્પ કર્યો હોય તે રકમને આપણે આપણું દેવું ગણવું જોઇએ અને જો ચુકવવામાં મોડું થાય તો વ્યાજ સાથે ચૂકવવું જોઇએ. સાંપ્રત સમયે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં દાન અંગે સાધનશુધ્ધિની વિચારણા આવશ્યક છે. દાના એ પાપ ઢાંકવાનું સાધન ન બની રહે તેવા વિવેક અને જાગૃતિની જરૂર છે. આવી સંસ્થાઓમાં માત્ર ધનને જ પ્રતિષ્ઠા ન મળવી જોઇએ. અને મન દાન દેવા કૃતનિશ્ચયી બની જાય છે. દાન સાથે દક્ષિણાની છાપ લાગતા દાન પાકું થઈ જાય છે, દાતા સંકલ્પબધ્ધ કે વચનબધ્ધા બની જાય છે. આજકાલ સંધો – સંસ્થાઓની સભાઓ મંદિરો કે સંમેલનોમાં કોઇ દાનનો વિચાર પ્રગટ કરે તો તરત જ તેની જાહેરાત. કરી દેવામાં આવે છે. મહાજન કે ગુરુજન સમક્ષ જાહેરાત થવાથી. દાતા વચનબધ્ધ બની જાય છે. દાનમાં મળેલી રકમની વ્યવસ્થા કરવાવાળા ટ્રસ્ટી મંડળ, કારોબારી સમિતિ, વ્યવસ્થાપક સમિતિ, પૂજારી કે વહીવટકર્તા મેનેજર વગેરે એ દાનમાં મળેલી સંપત્તિ ઉપકરણો કે વસ્તુઓની તટસ્થ અને ન્યાયપૂર્ણ વ્યવસ્થા કરવી જોઇએ. મંદિરના કે ઉપાશ્રયના ટ્રસ્ટીઓ, પ્રમુખ કે સંઘપતિઓ, ગાદી, જગ્યા કે આશ્રમના મહંતો કે સાધુ સાધ્વીજીઓ એ સંસ્થાના હેતુથી વિપરીત કે વ્યક્તિગત પ્રશંસા પ્રસિધ્ધિ કે સગવડતાઓ માટે આ સંપત્તિનો કદી ઉપયોગ ન કરવો જોઇએ. દાનમાં સ્વત્વની સાથે સ્વામીત્વનું વિસર્જન થાય છે આગળની કક્ષામાં અહંન્દુ અને મમત્વનું વિસર્જન પણ જરૂરી છે અને પછી અન્યનું સ્વામીત્વ કે સ્વત્વ સ્વેચ્છાપૂર્વક સ્થાપિત કરવાથી. દાનની ક્રિયા પૂર્ણ બને છે. વિશ્વચિંતક ‘બનાર્ડ શો'ને ૧૯૨પમાં જયારે સાહિત્ય માટે નોબલ પારિતોષિકના વિજેતા જાહેર કરવામાં આવ્યા ત્યારે તેણે નોબલ પ્રાઇઝ ફંડના ટ્રસ્ટીઓને વિનંતી કરતો પત્ર લખ્યો કે મારો. જીવન નિર્વાહ ચલાવવા માટે મારી પાસે પૂરતાં સાધનો છે. મારા. પારિતોષિકની રકમ સ્વીડનના ગરીબ લેખકોમાં વહેંચી દેવામાં આવે આ સ્વત્વ વિસર્જનમાં દાન-લેનાર અને દેનાર બને ધન્ય બની જાય છે. દાન કે સહાય આપતી સંસ્થાઓએ એવી યોજનાઓ દ્વારા દાન આપવું જોઇએ કે લેનારને વારંવાર દાન લેવું ન પડે પરંતુ, તે સ્વાશ્રયી બની શકે. દાનનું મુખ્ય અંગ સ્વત્વ અને સ્વામીત્વનું વિસર્જન છે. દાન એટલે વસ્તુ કે સંપત્તિને એક હાથથી બીજા હાથમાં સોંપવી. આ. પ્રક્રિયામાં સંપત્તિ પ્રત્યેનું મમત્વ છૂટે તોજ તે સાચું દાન કહી શકાય. પહેલાના જમાનામાં ઋષિ મુનિઓની સાક્ષીમાં દાનનો સંકલ્પ કરાવવામાં આવતો. આ સંકલ્પ મમત્વ ત્યાગનો હોય છે. આને કારણે સ્વાર્થ કે પ્રમાદવશ મન દાનભાવથી પાછું હઠતું અટકે છે. સત્યવાદી રાજા હરિશ્ચન્દ્રએ ઋષિ વિશ્વામિત્રને પોતાનું સમગ્ર રાજય દાનમાં આપી દીધું. પછી વિશ્વામિત્રે દક્ષિણી માગી તો ભ્રાંતિવશા રાજાએ રાજયની ખજાનામાંથી. વસ્તુ આપવાની આજ્ઞા કરી, ત્યારે વિશ્વામિત્રે કહ્યું કે ‘રાજા ! હવે તો આ રાજ્યપર મારો અધિકાર છે. તેમાંથી તમે કઈ રીતે દાન આપી શકો ?' રાજાને ભૂલ સમજાણી સ્વત્વ વિસર્જન કર્યા પછી પુનઃસ્વત્વ સ્થાપિત કરવાના વિચાર બદલ ક્ષમા માગી. રાજપાટ છોડી કાશીમાં જઇ શ્રમ કરી ખુદ અને રાણી તારામતી વેચાઇને સંકલ્પ અનુસાર સ્વપાર્જિત સંપત્તિથી રાજાએ વિશ્વામિત્રની

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48