Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 30
________________ ૧૫. દાન આપે તે પામે આ સંસારમાં દાન, એક એવી ભાવના છે કે તેનું કોઇપણ વ્યક્તિ આચરણ કરી શકે. દરેક વ્યક્તિ દાન આપવાની ક્ષમતા ધરાવે છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની યોગ્યતા અને શક્તિ પ્રમાણેદાન આપી શકે. એક બાળક પોતાને ચોકલેટ લેવા મળેલ પૈસામાંથી એક દિવસ ચોકલેટનો ત્યાગ કરી દાન કરી શકે. વિદ્યાનું દાન, પોતા પાસે છે એવી જાણકારી, માર્ગદર્શન, બીજાપ્રત્યે સહાનુભુતિ અનુકંપા, દાન કરી રહેલ પ્રત્યે પ્રમોદભાવ વ્યક્ત કરી અનુમોદના પ્રદર્શીત કરી દાન ભાવનાને પૂષ્ટ કરી શકાય છે. ભિખારીએ કોઇને સોનાના રથમાં બેસીને પોતાના તરફ આવતા જોયા. ભિખારીને થયું કે આજે તેનું ભાગ્ય ખુલશે. થોડીવારમાં તે રથ તેની પાસે આવીને ઊભો રહ્યો. તેમાંથી રાજા ૫૩ ઉતર્યા અને ભિખારીના આશ્ચર્ય વચ્ચે તેની પાસે હાથ લંબાવ્યો. ભિખારી તો ગડમથલમાં પડી ગયો. આ તરફ રાજા પોતાનો હાથ લંબાવેલો જ રાખે છે. રાજા કહે છે કે સમગ્ર રાજયના સુખનો આ પ્રશ્ન છે, કંઇક તો આપવું જ પડશે, પરંતુ ભિખારી શું આપે ? છેલ્લે પોતાની ઝોળીમાંથી એક અનાજનો દાણો કાઢીને તે આપી દીધો. ભિખારીને થયું કે રાજાએ પોતાનો હાથ લંબાવ્યો પરંતુ પોતાનો એક દાણો ઓછો થયો તેનું દુઃખ હતું. ઘેર જઇને ઝોળી ખાલી કરી તો એક સોનાનો દાણો દેખાયો. હવે તેને દુઃખ થયું કે આખી ઝોળી ઠાલવી દીધી હોત તો ? અહીં ક્ષણ અને ભાવનાની કીંમત છે, આપ્યું હોયતો પામી શકાય. ૫૪ -

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48