Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 48
________________ ગુણવંતભાઈ બરવાળિયાનો પરિચય શ્રી સૌરાષ્ટ્રદશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ્ મુંબઈ સ્થા. જૈન મહાસંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર વિ. સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, તથા ચેમ્બર જૈનસંઘના ટ્રસ્ટી છે, તેમનાં ધર્મપત્ની ડૉ. મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કાર્ય કરી ડોક્ટરેટ Ph. D, પ્રાપ્ત કરેલ છે. ગુંજન બરવાળિયાના નામે તેમના ધર્મ, અધ્યાત્મ ઉપરાંતના વિવિધ વિષયો પર લખાણો મુંબઈ સમાચાર, જન્મભૂમિ, દશાશ્રીમાળી, ‘જૈનપ્રકાશ', ‘કાઠિયાવાડી જૈન’, ‘શાસનપ્રગતિ', ‘ધર્મધારા’, જૈનસૌરભ’, ‘વિનયધર્મ', ‘જનક્રાંતિ', ‘પ્રાણપુષ્ય” વગેરેમાં પ્રગટ થાય છે. મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ ગુણવંતભાઈના લેખને ૧૯૯૭ના મુંબઈ ‘જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ’નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એમ. બી, બરવાળિયા ફાઉન્ડેશન, ચેરિટેબલ ટ્રસ્ટ હોલિસ્ટિક હેલ્થ કેરને લગતા પ્રકલ્પો ચલાવે છે, તેના ટ્રસ્ટી છે. - યોગેશ બાવીશી અમરેલી જિલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઈમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડા વર્ષો પ્રેક્ટિસ કર્યા પછી હાલ ટેક્ષટાઇલ પ્રોસેસ ઇન્ડ.માં પ્રવૃત્ત છે. ગુણવંતભાઈએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષય પર 40 જેટલાં પુસ્તકોનું સર્જન-સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ, ઘાટકોપરના મુખપત્ર ‘કાઠિયાવાડી જૈન', જૈન જાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ, મુંબઈના મુખપત્ર જાગૃતિ સંદેશ’ ફોરમ ઑફ જૈન ઇન્ટર એગ્યુએલ, એનલાઇટનમેન્ટ, ભારત જૈન મહામંડળના મુખપત્ર “જૈનજગત’ (ગુજરાતી વિભાગ) મુંબઈના મુખપત્રમાં સેવા આપેલ છે. મુનિ સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ મુંબઈઅમદાવાદનો મુખપત્ર ‘વિશ્વ વાત્સલ્ય'માં માનદ્ તંત્રી તથા ટ્રસ્ટી છે. અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મંત્રી છે. ‘જૈન પ્રકાશ'ના સહતંત્રી તરીકે સેવા આપેલ છે. મુંબઈમાં કેટલીક વ્યાખ્યાનમાળા અને પરિસંવાદ ગુણવંતભાઈના પ્રમુખસ્થાને યોજાય છે. ફાર ઇસ્ટમાં સિંગાપોર વગેરેમાં જૈનધર્મ પર તેમનાં સફળ પ્રવચન યોજાયેલાં. ધર્મ અને અધ્યાત્મના વિષયો પર મુંબઈ દૂરદર્શન પર એમના વાર્તાલાપ અવારનવાર યોજાય છે. અહંમ સ્પીરીચ્યુંઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ લિટરરી રીસર્ચ સેન્ટરના ગુણવંતભાઈ ઓનરરી કો-ઓર્ડિનેટર તથા ટ્રસ્ટી છે. જેમાં જૈનધર્મના પ્રાચીન ગ્રંથો પરનું સંશોધનનું કાર્ય ઉપરાંત ઇન્ટરનેટ પર જૈનદર્શન સાહિત્યના પ્રચારનું કાર્ય થાય છે. પ્રકાશન કાર્ય તથા જ્ઞાનસત્રોના આયોજન થાય છે.

Loading...

Page Navigation
1 ... 46 47 48