SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. દાન આપે તે પામે આ સંસારમાં દાન, એક એવી ભાવના છે કે તેનું કોઇપણ વ્યક્તિ આચરણ કરી શકે. દરેક વ્યક્તિ દાન આપવાની ક્ષમતા ધરાવે છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની યોગ્યતા અને શક્તિ પ્રમાણેદાન આપી શકે. એક બાળક પોતાને ચોકલેટ લેવા મળેલ પૈસામાંથી એક દિવસ ચોકલેટનો ત્યાગ કરી દાન કરી શકે. વિદ્યાનું દાન, પોતા પાસે છે એવી જાણકારી, માર્ગદર્શન, બીજાપ્રત્યે સહાનુભુતિ અનુકંપા, દાન કરી રહેલ પ્રત્યે પ્રમોદભાવ વ્યક્ત કરી અનુમોદના પ્રદર્શીત કરી દાન ભાવનાને પૂષ્ટ કરી શકાય છે. ભિખારીએ કોઇને સોનાના રથમાં બેસીને પોતાના તરફ આવતા જોયા. ભિખારીને થયું કે આજે તેનું ભાગ્ય ખુલશે. થોડીવારમાં તે રથ તેની પાસે આવીને ઊભો રહ્યો. તેમાંથી રાજા ૫૩ ઉતર્યા અને ભિખારીના આશ્ચર્ય વચ્ચે તેની પાસે હાથ લંબાવ્યો. ભિખારી તો ગડમથલમાં પડી ગયો. આ તરફ રાજા પોતાનો હાથ લંબાવેલો જ રાખે છે. રાજા કહે છે કે સમગ્ર રાજયના સુખનો આ પ્રશ્ન છે, કંઇક તો આપવું જ પડશે, પરંતુ ભિખારી શું આપે ? છેલ્લે પોતાની ઝોળીમાંથી એક અનાજનો દાણો કાઢીને તે આપી દીધો. ભિખારીને થયું કે રાજાએ પોતાનો હાથ લંબાવ્યો પરંતુ પોતાનો એક દાણો ઓછો થયો તેનું દુઃખ હતું. ઘેર જઇને ઝોળી ખાલી કરી તો એક સોનાનો દાણો દેખાયો. હવે તેને દુઃખ થયું કે આખી ઝોળી ઠાલવી દીધી હોત તો ? અહીં ક્ષણ અને ભાવનાની કીંમત છે, આપ્યું હોયતો પામી શકાય. ૫૪ -
SR No.034397
Book TitleBharatiya Sanskritima Dan Bhavna
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2009
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy