________________
આંખમાં આંસ, હૃદયમાં વેદના ને મનમાં કુતુહલ લઇને બધાં. નગરજનો જોતજોતામાં પ્રભુને વીંટળાઇ વળ્યા.
બધેથી મણીમુક્તિના વરસાદ વરસ્યા કેસર ચંદન કપૂરના ચોક રચાયા.
આ સંસારમાં ભોગોપભોગનો સંગ્રહ તો જાણીતો હતો પણ એનો ત્યાગ અને એનો ત્યાગી અજાણ્યો હતો.
૧૬. અક્ષયતૃતીયઃ સુપાત્રદાનનું સંદેશવાહક પર્વ
કોઇ કહે અરે પૃથ્વીનાથ પગે ચાલે છે. માટે હાથી આપો. કોઈ કહે ત્રિલોકીનાથને દેહવિલેપન માટે અંગ રાગ આપો. રત્ના મોતી અને પરવાળા ધરો. મૃગ, મયૂર અને ઘેનું અર્પણ કરો. અરે ત્રિલોકીનાથને ઘરે કઈ વાતની કમીના છે ! આજે એ તો આપણું પારખું કરવા નિકળ્યાં છે. રખે આપણે પાછા પડીએ દેહ માગે તો. દેહ આપો ! પ્રભુથી વિશેષ આ વિશ્વમાં આપણું શું ?
સહસ્ત્ર ઇજને, આમંત્રણ અને વિનંતી વચ્ચેથી પ્રભુ ખાલીખમાં આગળ વધ્યા. લોકોના પોકાર પડ્યા. આપણા ભર્યા નગરને શું કરૂણીના અવતાર પ્રભુ આમ છાંડીને ચાલ્યા જશે ? શું આપણી ઐશ્વર્ય અંગારા જેવા નહિ ભાસે ? ડાહ્યા પુરુષો વિચારમાં ડૂબ્ધી શા માટે જલમેં મીન પીયાસી !?
ભગવાન ઋષભદે વ આદિનાથને સુઝતો આહાર - ગોચરી(ભિક્ષા) મળતી નહતી. પૂર્વના અંતરાય કર્મને કારણે આમ બનતું હતું. લોકોને સાધુનીની જીવનચર્યા સુપાત્ર દાન વિશે સમજણ ન હતી. ભિક્ષાયરી અજાણ લોકોને સાધુને અનુદાનમાં શું દેવું તે ખબરજ ન હતી. ૪૦૦ દિવસના ઉપવાસી ધરતી પર વિહાર કરતાં આદિનાથ ઋષભદેવ ભગવાન નગરીમાં પધારતા હતા. ત્યારે જયાં જયાં આ સમાચાર પહોંચ્યા ત્યાં નગરજનો દોડી આવ્યા. કામમૂકીને કારીગરો, ગોકૂળ છોડી ગોવાળો પ્રભુદર્શને દોડી આવ્યા. પણ આ શું જોઇએ છીએ ? પૃથ્વીનો પતિ ઉધાડે મસ્તકે, અડવાણે પગે, છત્ર ચામર વિગેરે કશાય રાજ ચિન્હો વિના રાજમાર્ગ પર એકાકી ચાલ્યા આવે છે ! ઓહ કેવું હૃદય-વિદારક દૃશ્ય ! આ દૃશ્ય જોઇ અનેકની આંખોમાંથી અશ્રુપ્રવાહ વહેવા માંડ્યો, અહા ! પૃથ્વીનાથને ઘેર તે શી ખોટ પડી ? એવું તે શું મનડું રીસાયું કે ભરી ભરી ધરતી પર સ્વામી ખાલીખમ.
- હસ્તિનાપુરના રાજમાર્ગો પર જનપદોમાં ભગવાન ઋષભદેવા પ્રત્યેનો ભક્તિ-સિધુ લહેરાઇ રહ્યો હતો. રાજસભામાં દ્વારપાળ એ. જ વેળા શુભસંદેશ સાથે હાજર થયો. એણે કહ્યું, સ્વામિન, ત્રણ લોકના પૂજય પૃથ્વીનાથ ભગવાન ઋષભદેવ વન જંગલોમાં વિચરતા આજે આપણા પુણ્યયોગે નગરમાં પધાર્યા છે. ત્રણે જણા હર્ષમાં આવી એકી સાથે બોલ્યા :