Book Title: Bharatiya Sanskritima Dan Bhavna
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 32
________________ નહોતો. પોતાના સુગંધી કેશથી એણે પ્રભુના પગ લૂછયાં. પ્રદક્ષિણા કરી પુનઃ નમસ્કાર કર્યા. ધન્ય ધડી, ધન્ય ભાગ્ય ! પ્રભુ આજ અમારે અાંગણે ! દ્વારપાળ આગળ બોલ્યો : સ્વામિન, પણ એમના દેહની શી વાત કરું ? જાણે એ પ્રબળ પ્રતાપી પૃથ્વીનાથ જ નહિ ! હજારો શત્રુથી ઘેરાયેલા મહાયોદ્ધાના જેવી એમની ઝાંખી મુખમુદ્રા છે. સ્વામિન, આ પહેલા તો એમના. મુખની આસપાસ સહસ્ત્રરશ્મિ સૂર્યની જેવું તેજમંડળ રચાયેલું જોવાતું, આજે તો સર્વ કિરણ જાણે ક્ષત-વિક્ષત બની એમાંથી ઝરી ગયાં હોય એવું નિસ્તેજ લાગે છે. વધું શું કર્યું સ્વામિન્ ? સોનાનો મેરુ પર્વત જાણે શ્યામ પડી ગયો હોય એમ એમની. કાંચનવરણી કાયા શ્યામ થઇ ગઈ છે. ડોલતો ડુંગર જાણે ચાલ્યો. આવતો હોય તેમ એ ચાલ્યા આવે છે. પ્રજાજનોએ અનેક પ્રકારની ભેટ ધરી પણ એ લેતા નથી. દિવસોથી મૅન સેવે છે, એટલે શું જોઇએ છે એ પણ સમજાતું નથી. આપ જલ્દી પધારો અને તેમને ખપતી વસ્તુ જાણો, નહી તો પ્રભુ આગળ ચાલ્યા જશે અને દરિદ્રના ભિક્ષાપત્રિની જેમ આપણે આવેલા સદ્ભાગ્યથી વંચિત રહીશું. પોતાના પ્રતાપી પ્રપિતામહનું નામ સાંભલી યુવરાજ શ્રેયાંસકુમાર ભરી સભામાંથી દોડ્યા. પુર્ણિમાના ચંદ્રના દર્શન કરતાં જેમ પોયણી ખીલી ઉઠે તેમ પ્રભુ મુખચંદ્રના દર્શન કરતાં કરતાં કુમાર શ્રેયાંસનું હૃદ્ય કમળ ખીલી ઉઠયું. કાળના આ પ્રવાહમાં ક્ષણની કિંમત છે, યુગની નહિ. એ લાખેણી પળ શ્રેયાંસને લીધી - એના હૃદયમાં અપૂર્વ પ્રકાશ પથરાયો. તે શુભ ચિંતનની ધારાના પ્રવાહમાં ખેંચાતા હતા. એ અતીતમાં ડૂબી ગયાં હતા. આવા વેશ મેં ક્યાંક જોયો છે, અરે ! માત્ર જોયો જ હોય એમ નહિ, આવો વેશ જાણ્યો, માણ્યો હોય એમ લાગે છે ! અહો આ વેશ પણ જો આટલો બધો ભવ્ય જણાય છે તો, આ વેશને અનુરૂપ આચાર - વર્તન તો કેટલું ભવ્ય હશે ? સ્મૃતિના એ તોતિંગ દરવાજા ઉધડી જતાં શ્રેયાંસ કુમારને પૂર્વજન્મનું સ્મરણ કરાવતું જ્ઞાન પ્રાપ્ત થયું. એ જ્ઞાનના પ્રકાશે એમનું અંતર ઝળહળ બની ઉઠ્યું. એ મનોમન બોલી ઉઠ્યા કે આ પ્રભુ સાથે છેલ્લા નવ-નવ ભવથી હું સંકળાતો આવ્યો છું. અરે ! કેવા આશ્ચર્યની વાત છે કે, પ્રભુએ જે પરિગ્રહને પાપનો ભારો સમજી તજી દીધો છે. એ જ પરિગ્રહને પ્રભુ સમક્ષ સૌ ધરી રહ્યાં છે. પ્રભુની સમક્ષ શું ધરાય ? એનું પણ કોઇને જ્ઞાન નથી. આ જ કારણે દીક્ષા દિવસથી આજ સુધી પ્રભુનું ભિક્ષાપાત્ર ખાલી જ રહેવા પામ્યું છે. અને જેના. યોગે પ્રભુને એક વર્ષ ઉપર ચાલીશ દિવસ જેટલા લાંબા ઉપવાસ થયા છે. સુપત્રિ દાનનો શુભારંભ સ્વરુપ પ્રભુને પરિણું કરાવવાના લાભ લેવાના અવસરની વિચાર માત્રથી શ્રેયાંસકુમાર આનંદિત બની. ગયી. જાતિ સ્મરણથી સુપાત્રદાનની વિધિની જ્ઞાતા બની ચૂકેલા શ્રેયાંસકુમાર જાણે આદિ દાનની પ્રવર્તક બનવાનું સૌભાગ્ય મેળવવા કટિબદ્ધ બન્યા. રાજા સોમપ્રભ (સોમયશ) દાદા અદિનાથના દર્શન માટે દોડ્યા. પ્રભુની નજીક પહોંચીને રાજા સોમપ્રભે ધારી ધારીને દર્શન કર્યા. એકલપંડે શત્રુ સૈન્યની સામે લોહીનું છેલ્લું બુંદ ખર્ચી નાંખવાની જવાંમર્દી સાથે ઝઝૂમતા કોઇ રાજવીની સ્થિતિનો અણસાર પ્રભુ દર્શનથી લાધતાં દેખાતો હતો. સુબુદ્ધિ શેઠની સ્થિતિ પણ આવીજ હતી. શ્રેયાંસકુમાર દોડીને પ્રભુના ચરણમાં આળોટી પડ્યાં. રંકના પાત્રમાં ચક્રવર્તીની ખીર ન સમાય એમ એના હૈયામાં હર્ષ સમાતો શ્રેયાંસકુમાર પોતાના રાજભવનમાં પહોંચ્યા, એ પૂર્વે જાણે એમની દાનભાવના ત્યાં પહોંચી ગઇ હતી અને એ ભાવનાને અનુકૂળ ( ૫૮ - પુછ

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48