________________
દઈશ.” યુવાન સંતને નીરખી અને કહે છે, “રાજા બનાવો કે ન બનાવો, પરંતુ આ રોટલી લઈ લો. જોકે હું ઘણી મોટી આશા બાંધીને આવ્યો હતો. ખેર, મને આ રોટલીમાં પણ સંતોષ હતો. પરંતુ આપને એની જરૂર હોય તો લઈ લો , મારી ચિંતા ન કરશો ને રોટલી સંતને આપી દીધી. સંતે તેને થોડી વાર ઊભા રહેવા કહ્યું.
પછી ઘણા માણસો પસાર થયા, પરંતુ કોઈ રોટલીનો એક ટુકડો આપવા પણ તૈયાર ન હતા,
જેમ અહીં ઊભા રહો. સામાન્ય વ્યક્તિ બનશો તો જ સામાન્ય વ્યક્તિની નજીક પહોંચી તેને સમજી શકશો. દાન દેવાનું શરૂ થયું. વાસી રોટલીઓ દાનમાં અપાવા લાગી ત્યારે ભિક્ષુકો દુ:ખી થઈ ગયા. આટલી મોટી જાહેરાત પછી આવી વાસી રોટલીના ટુકડા ? પણ શું કરે ? રાજાની સામે બોલવાનું કોનું ગજું ? પોતાના ભાગ્યને ભાંડતા ભિખારીઓ. ચાલવા માંડ્યા.
ભિખારીઓને બહાર નીકળવાના રસ્તે સંત ઊભા રહ્યા અને પ્રત્યેક ભિખારીને કહેતાં, મને આ રોટલી આપો તો હું તમને રાજા બનાવી દઈશ. કેટલાક ભિખારીઓ કહે છે કે, મહાત્મા, મશ્કરી શું કામ કરો છો અને ચાલી જાય છે તો વળી કોઈ કહે છે કે રાજની લાલચ આપીને આ બાવો રોટલી પણ પડાવી લેવા માગે છે. રોટલી છાતીએ લગાવી ભિખારી નીકળી જાય છે. કોઈ રોટલી આપવા તૈયાર નથી, સંત કહે, મને જે આમાંથી અડધી રોટલી આપશે તેને હું મંત્રી બનાવી દઈશ. ભિખારીને મંત્રીપદ કરતાં વાસી રોટલીનો ટૂકડો વધુ વહાલો છે,
મોટા ભાગના ભિખારી નીકળી ગયા, એટલામાં એક યુવાન ભિખારી પસાર થઈ રહ્યો હતો. તેના મુખ પર કંઈક અલગ તેજ હતું. સંતે પૂછ્યું, “તને શું મળ્યું ?” યુવાન કહે, “વાસી રોટલીનો ટુકડો, જે અમારા ભાગ્યમાં હતો. ભિખારીના ભાગ્યમાં રોટલી જ હોય , હીરાઝવેરાત થોડાં મળે. જે મળ્યું છે તે બરાબર જ છે.”
સંતે વિચાર્યું આ યુવાનની વાણીમાં પરિસ્થિતિને અનુકૂળ થવાનો સંકેત છે.
સંત કહે, “આ રોટલી મને આપી દે. હું તને રાજા બનાવી
પછી છેલ્લે એક યુવાન પસાર થતો હતો. સંતે એને કહ્યું, “મને આમાંથી અડધી રોટલીનો ટૂકડો આપીશ તો હું તને મંત્રી બનાવી દઈશ. યુવાને વિચાર્યું, “અડધો ટૂકડો દેવામાં વાંધો નથી, કેમ કે અડધો તો મારી પાસે બચશે જ. તેમણે રોટલીનો અડધો ટુકડો સંતને આપ્યો, સંતે તેને પહેલા યુવાન પાસે ઊભો રાખ્યો. બધા ભિખારી ગયા. પછી રાજા અને મંત્રી બન્નેને કહ્યું, “તમારા બન્ને માટે યોગ્ય પુત્ર મળી ગયા છે.”
રાજામાં વિરાટ ભાવના હોવી જરૂરી છે. સર્વસ્વ ત્યાગ કરવાની , પ્રિયમાં પ્રિય વસ્તુ પણ ન્યોછાવર કરી દેવાની હિંમત હોવી જોઈએ. પહેલા યુવાને એ હિંમત બતાવી, જેથી તેનામાં ભવિષ્યનો રાજા બનવાની યોગ્યતા છે અને બીજા યુવાનમાં તેનાથી અડધી યોગ્યતા એટલે કે મંત્રી બનવાની યોગ્યતા છે.
આનંદના સર્જક પૂજ્ય અમરમુનિની આ ઉપનય કથાનો સંકેત એ છે કે સંસારની વાસનાઓ એંઠાજૂઠા વાસી ટુકડાઓ જેવી છે. એને છાતીસરસી લગાવીને આપણે ચાલી રહ્યા છીએ. જો તેને ત્યાગીએ, અનાસક્ત બનીએ તો સાધુતા પ્રાપ્ત થઈ જાય. આધ્યાત્મિક કે વ્યાવહારિક
૮૦