Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 183
________________ ઇસ્લામ ધર્મ ૧૭૫ વંશથી તે છેક મુઘલકાલ સુધીના બાદશાહે માં ભાગ્યે જ કોઈ એવે બાદશાહ હશે કે જેના હાથ કાવાદાવાથી ખરડાયેલા ન હય, ને રાજકીય દાવપેચથી અલિપ્ત રહી શક્યો હોય. મુસ્લિમ સુલતાનેને ઈતિહાસ અનેક પ્રકારની કરુણ દાસ્તાનેથી ભરેલું છે. રાજકીય ઈતિહાસની દૃષ્ટિએ જોઈએ તે ભારતમાં મુસ્લિમ સત્તા બે વિભાગમાં વહેંચાઈ જાય છેઃ (૧) સતનતકાલ–ઈ. સ. ૧૨૦૬થી ૧૫૨૬ (૨) મુઘલકાલ–ઈ. સ. ૧૫૨૬થી ૧૮૫૭ સુધી. આ સમય દરમ્યાન અલાઉદ્દીન ખલજી, બાબર, અકબર, શાહજહાં, એરંગઝેબ જેવા નામાંકિત બાદશાહે થઈ ગયા . જેમણે ઇસ્લામી સંસ્કૃતિના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. સંસ્કૃતિઓને સંઘર્ષ મુસ્લિમ રાજ્ય એ સાંપ્રદાયિક રાજ્ય (Theocratic state) હોવાથી ઈસ્લામને પ્રચાર એ તેનું મુખ્ય કાર્યું હતું. દરેક સુલતાન કુરાનેશરીફના આદેશને માન આપી રાજ્ય ચલાવતા. તે પિતાને અલ્લાહને પ્રતિનિધિ માનતે. અકબર આ માન્યતાથી કેટલેક અંશે જુદે પડતું હતું. તેણે ઈસ્લામની પરંપરા તેડી દીનએ-ઈલાહી'ની નવી વિચારસરણું પ્રચલિત કરી, પણ આ વિચારસરણું તેના અનેક સાથીઓને અનુકૂળ ન આવી. પરિણામે તેના મૃત્યુ બાદ આ વિચારસરણી અદશ્ય થઈ ગઈ. ઘણું મુસ્લિમ બાદશાહો મૂર્તિઓને નાશ કરતા અને વટાળ પ્રવૃત્તિને ટેકો આપતા. આના પરિણામે હિંદુ અને મુસલમાન વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કરતે. ભૂતકાળમાં અનેક પરદેશી પ્રજાઓ ભારતમાં આવી, પણ તે ભારતીય પ્રજા સાથે એક થઈ ગઈ. ભારતીય સંસ્કૃતિના રંગે રંગાઈ ગઈ, પણ કમનસીબે મધ્યકાલના સાધુસંતે એ તથા ફકીરાએ અનેક પ્રયત્ન કર્યા હોવા છતાં હિંદુમુસ્લિમ વચ્ચે સુમેળ સધાયે નહિ, ધાર્મિક મતભેદોની ખાઈ પુરાઈ નહિ. અનેક ઠેકાણે ધર્મના નામે લોહીની નદીઓ વહેવડાવાઈ. ઓરંગઝેબની ધાર્મિક નીતિના પરિણામે દક્ષિણમાં મરાઠાઓ, ઉત્તરમાં જાટ, રજપૂત, શીખ વગેરે મુસલમાનોના કટ્ટર દુશમને બન્યા. દક્ષિણમાં છત્રપતિ શિવાજીએ હિંદુધર્મના રક્ષણ માટે કમર કસી. પંજાબમાં ગુરુ ગોવિંદસિંહે મુસ્લિમોને અત્યાચારને સામને ફરવા ગુરુ પરંપરા બંધ કરાવી. ગુરુ ગ્રંથસાહેબને કાયમી ધોરણે ગુરુ તરીકે સ્થાપી, “ખાલસા નામની સંસ્થા શરૂ કરી. અંગ્રેજ અમલ દરમ્યાન આ પરિસ્થિતિ વિકટ બની. તેમણે હિંદુમુસ્લિમ સંઘર્ષને લાભ ઉઠાવ્યો. આ બંને પ્રજા કાયમ માટે લડતી રહે તેવી રાજનીતિ આદરી કોમવાદનું ઝેર ભારતમાં ચારેબાજુ ફેલાવ્યું. પરિણામે ભારતના ભારત અને પાકિસ્તાન એવા બે ભાગ પડ્યા. આ બંને દેશોમાં આજે પણ ધર્મના નામે હિંસા ફાટી નીકળે છે, ઈતિહાસની તે કમનસીબ ઘટના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240