Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 194
________________ જરથોસ્તી ધર્મ ભારતમાં જ રસ્તી ધર્મને પ્રસાર ઈરાનમાં આરબના ત્રાસથી પિતાને ધર્મ સાચવવા કેટલાક જરથોસ્તીએ સ્થાયી વસવાટ શોધતા ભારત આવવા નિકળ્યા. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે “જરથોસ્તીઓ હિંદ આવવા નીકળ્યા ત્યારે તેમને દરિયામાં ભયંકર તોફાન નડયું. તેઓ ડૂબી જવાની તૈયારીમાં હતા ત્યારે વહાણ ઉપરના બુઝર્ગોએ અને પવિત્ર અગ્નિ સાચવવાને લગતું કામ કરનારાઓએ માનતા માની કે જો આ મુશ્કેલીના વખતમાં બહેરામ ઈજદ ફરિસ્તો મદદ કરે તે હિંદના કિનારે ઊતરતાં તેની યાદમાં એક આતશ બહેરામ બાંધીશું. આ પછી સર્ભાગ્યે થોડાક જ વખતમાં તેફાન શમી ગયું. તેઓ સર્વ સહીસલામત રીતે હિંદ પહોંચ્યા. તેમણે હિંદમાં આવીને “આતશ બહેરામની સ્થાપના કરી. પારસ (ઈરાન) દેશથી આવેલા આ જરથોસ્તીઓ ભારતમાં “પારસી'ના નામે ઓળખાવા લાગ્યા. જરથોસ્તીઓ પહેલાં પશ્ચિમ ભારતના દીવ બંદરે ઊતર્યા અને ત્યાં લગભગ ૧૮ વર્ષ રહ્યા. ત્યાર બાદ ત્યાંથી દક્ષિણ ગુજરાતના સંજાણ (જિ. વલસાડ) બંદરે ઊતર્યા હતા. ત્યાં આવી ત્યાંના રાજા જાદી રાણુ પાસે પોતાના રાજ્યમાં વસવા દેવાની માગણી કરી. આથી કહેવાય છે કે જાદી રાણુએ તેમની પાસે દૂધને પ્યાલ અને સાકર મેકલ્યાં. જરથોસ્તી ધર્મના વડાએ દૂધમાં સાકર નાખી દૂધમાં સાકરની જેમ ભળી જવાની ખાતરી આપી. પરિણામે તેઓએ આ સ્થળે કાયમી વસવાટ કર્યો.. ચિંચણીમાંથી ઈ. સ. ૯૨૬ના મળેલ દાન શાસનમાં સંચાન (સંજાણુ)માં “હંચવજ” (પારસી વસાહત-અજુમન) હેવાને સ્પષ્ટ ઉલ્લેખ છે. આ ઉપરથી પારસીઓનું આગમન અહીં ઈ. સ. ૯૨૬ પહેલાં થયું હોવાનું સ્પષ્ટ થાય છે. આ બનાવ વિ. સં. ૯૯૨ (ઈ. સ. ૯૩૬)ના બદલે અદ્યતન સંશોધનને આધારે ઈ.સ. ૯૨૬ પહેલાં બન્યું હોવાનું વધુ સંભવિત જણાય છે. જદી રાણે એ સામાન્યતઃ શિલાહાર વંશને વજજડ હોવાની એક માન્યતા પ્રચલિત છે. પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240