SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ જરથોસ્તી ધર્મ ભારતમાં જ રસ્તી ધર્મને પ્રસાર ઈરાનમાં આરબના ત્રાસથી પિતાને ધર્મ સાચવવા કેટલાક જરથોસ્તીએ સ્થાયી વસવાટ શોધતા ભારત આવવા નિકળ્યા. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે “જરથોસ્તીઓ હિંદ આવવા નીકળ્યા ત્યારે તેમને દરિયામાં ભયંકર તોફાન નડયું. તેઓ ડૂબી જવાની તૈયારીમાં હતા ત્યારે વહાણ ઉપરના બુઝર્ગોએ અને પવિત્ર અગ્નિ સાચવવાને લગતું કામ કરનારાઓએ માનતા માની કે જો આ મુશ્કેલીના વખતમાં બહેરામ ઈજદ ફરિસ્તો મદદ કરે તે હિંદના કિનારે ઊતરતાં તેની યાદમાં એક આતશ બહેરામ બાંધીશું. આ પછી સર્ભાગ્યે થોડાક જ વખતમાં તેફાન શમી ગયું. તેઓ સર્વ સહીસલામત રીતે હિંદ પહોંચ્યા. તેમણે હિંદમાં આવીને “આતશ બહેરામની સ્થાપના કરી. પારસ (ઈરાન) દેશથી આવેલા આ જરથોસ્તીઓ ભારતમાં “પારસી'ના નામે ઓળખાવા લાગ્યા. જરથોસ્તીઓ પહેલાં પશ્ચિમ ભારતના દીવ બંદરે ઊતર્યા અને ત્યાં લગભગ ૧૮ વર્ષ રહ્યા. ત્યાર બાદ ત્યાંથી દક્ષિણ ગુજરાતના સંજાણ (જિ. વલસાડ) બંદરે ઊતર્યા હતા. ત્યાં આવી ત્યાંના રાજા જાદી રાણુ પાસે પોતાના રાજ્યમાં વસવા દેવાની માગણી કરી. આથી કહેવાય છે કે જાદી રાણુએ તેમની પાસે દૂધને પ્યાલ અને સાકર મેકલ્યાં. જરથોસ્તી ધર્મના વડાએ દૂધમાં સાકર નાખી દૂધમાં સાકરની જેમ ભળી જવાની ખાતરી આપી. પરિણામે તેઓએ આ સ્થળે કાયમી વસવાટ કર્યો.. ચિંચણીમાંથી ઈ. સ. ૯૨૬ના મળેલ દાન શાસનમાં સંચાન (સંજાણુ)માં “હંચવજ” (પારસી વસાહત-અજુમન) હેવાને સ્પષ્ટ ઉલ્લેખ છે. આ ઉપરથી પારસીઓનું આગમન અહીં ઈ. સ. ૯૨૬ પહેલાં થયું હોવાનું સ્પષ્ટ થાય છે. આ બનાવ વિ. સં. ૯૯૨ (ઈ. સ. ૯૩૬)ના બદલે અદ્યતન સંશોધનને આધારે ઈ.સ. ૯૨૬ પહેલાં બન્યું હોવાનું વધુ સંભવિત જણાય છે. જદી રાણે એ સામાન્યતઃ શિલાહાર વંશને વજજડ હોવાની એક માન્યતા પ્રચલિત છે. પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005216
Book TitleBharatiya Dharmo
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Anandilal Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1985
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy