________________
જરથોસ્તી ધર્મ
૧૮૭" સંજાણના એક મઠને અપાયેલા દાન અંગેના દાન શાસન પરથી જાણવા મળ્યું છે કે અહીં રાષ્ટ્રકૂટ વંશના કૃષ્ણ ૨ જૂના સમય (ઈ. સ. ૮૯૦થી ૯૧૪)થી કૃષ્ણ ૩ જાના સમય (ઈ. સ. ૯૩૯-૯૬૮) સુધી અહીં રાષ્ટ્રનું શાસન પ્રવર્તતું હતું, તે વખતે અહીં રાષ્ટ્રકૂટ રાજાઓના આધિપત્ય નીચે યાદવ માંડલિકેનું શાસન ચાલતું લાગે છે. તે જાદી રાણે એ યાદવ (જાદવ) માંડલિક હોવો જોઈએ. શિલાહાર વંશ તે છેક ઈ. સ. ૯૭૨ પછી શરૂ થયો હતો.
ભારતમાં આવેલા જરસ્તીઓ સમય જતાં ભારતના પશ્ચિમ કિનારે આવેલા ગુજરાત પ્રદેશમાં અન્યત્ર વિસ્તર્યા. સંજાણ ઉપર થયેલા મુસ્લિમ આક્રમને લીધે પારસીઓને સ્થળાંતર કરવાની ફરજ પડતાં તેઓ આતશ બહેરામને લઈ થોડોક વખત બાહરોટના પહાડ ઉપર વસ્યા અને ત્યાંથી વાંસદા તરફ ગયા. એ પછી આતશ બહેરામને નવસારી લઈ જવામાં આવ્યો. સંજાણુથી નીકળ્યા બાદ જરથોસ્તીઓને પોતાની શાંતિ અને ધાર્મિક સ્વતંત્રતા પુનઃ પ્રાપ્ત કરવામાં લગભગ ૧૦૦ વર્ષ પસાર થઈ ગયાં. નવસારીમાં સ્થિર થયા પછી જરસ્તીઓએ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રો ઘણું સારી પ્રગતિ કરી. ભારતને સાંસ્કૃતિક વિકાસમાં તેમણે નોંધપાત્ર ફાળો આપે.
ધીરેધીરે પારસીઓ ભારતના પશ્ચિમ કિનારે સ્થિર થતાં તેમણે ખંભાત, અંકલેશ્વર, ભરૂચ, વાંકાનેર વગેરે જુદે જુદે ઠેકાણે પિતાનાં ધર્મસ્થાને ઊભાં કર્યા. તેમણે પિતાને વિસ્તાર છેક સૌરાષ્ટ્ર સુધી વિસ્તર્યો. તેઓ જ્યાં જ્યાં વસ્યા ત્યાં ત્યાં તેમણે પોતાને ધર્મસ્થાને ઊભાં કર્યા હોવાથી તેમના ધર્મગુરુઓએ પણ પોતાનું કાર્ય પ્રદેશ વિસ્તાર્યો. તેમણે પોતાને વિસ્તાર નક્કી કરી કાયમને વસવાટ શરૂ કર્યો. સર્વ ઠેકાણે અગિયારી અને આતશની સ્થાપના થઈ. સમય જતાં ધાર્મિક ક્રિયાઓ કરાવતા ધર્મગુરુઓએ પિતતાના વિસ્તાર વહેંચી લીધા, આ વિસ્તારે નીચે પ્રમાણેના હતા ?
(૧) સંજાણને ધર્મગુરુઓ માટે દેત્રાથી પાર નદી વચ્ચેનો વિસ્તાર, (૨) નવસારીના ધર્મગુરુઓ માટે વિરવ અને તાપી નદી વચ્ચે વિસ્તાર.. (૩) ભરૂચના ધર્મગુરુઓ માટે નર્મદાથી ખંભાત સુધીના વિસ્તાર. (૪) ખંભાતના ધર્મગુરુઓ માટે ખંભાતની આસપાસને વિસ્તાર.
આમ ચૌદમા સૈકામાં ભારતમાં પારસીઓની વસ્તી વધતાં પ્રજને ધાર્મિક ક્રિયાઓ માટે અગવડતા ન પડે અને ધર્મગુરુઓ વચ્ચે સંઘર્ષ ન થાય તે માટે સમજૂતીપૂર્વક ભારતના પશ્ચિમ કિનારે વસતી પારસી પ્રજાના વિભાગે નક્કી કરવામાં આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org