Book Title: Bharatiya Dharmo
Author(s): Navinchandra Anandilal Acharya
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 198
________________ ભારતીય ધર્મો અને હિંદુ તરીકે ઓળખાતી પ્રજા જુદી ભાષા, જુદી માન્યતાઓ, જુદી ધર્મભાવના, ક્રિયાઓ, રીતરિવાજો ધરાવતી અલગ પ્રજા બની ગઈ. તેઓમાં ધાર્મિક સંઘર્ષ વધી પડતાં તેઓ એકબીજાના દેવાને પણ નિંદવા લાગ્યા. દા. ત. હિંદુધર્મમાં દેવ” પવિત્ર શબ્દ મનાય છે. ઈરાનીઓએ એને અર્થ દૈત્ય” તરીકે ઘટાવ્યો છે. હિંદુઓએ પારસીઓના પવિત્ર મનાતા શબ્દ અહુરને અર્થ અસુર તરીકે ઘટાવ્યો. અ જરથુષ્ટ્રના જન્મ પહેલાંના સમાજમાં વિવિધ દેવદેવીઓની ઉપાસના, સોમપાન, કર્મકાંડ, બલિદાન વગેરે પ્રચલિત હતાં. સામાન્ય માનવી જાદુમંતર, - વહેમ, મેલી વિદ્યાની ઉપાસના વગેરે દુષ્ટ તમાં ફસાયેલું હતું. રોગ મટાડવા મેલી વિદ્યાનો આશ્રય લેવામાં આવતું. ચારેબાજુ અજ્ઞાનતા, અંધશ્રદ્ધા અને ઈર્ષ્યાનું વાતાવરણ છવાયેલું હતું. રાજ અને ધર્મગુરુઓ પ્રજા ઉપર પુકળ ત્રાસ વર્તાવતા હતા. જુદા જુદા સમયે અનેક ધર્મ ગુરુઓએ ઈરાનની પ્રજાને સાચા ધર્મના માર્ગે વાળવા પ્રયત્ન કર્યા પણ તેમાં રાજા જમશીદ જેવી સફળતા અન્ય કેઈને ન મળી. જમશી પ્રજામાં અદ્દરમઝ અને અગ્નિની મહત્તા વધારી, અમરક્ની પૂજા દ્વારા એકેશ્વરવાદને પ્રચાર કર્યો. તેના પછી ફરી પાછા ઈરાની સમાજ દુઃખ અને અન્યાયની ચક્કીમાં પિસાવા લાગ્યો. આવા સમયે તે સત્યને - સાકાર કરવા ઈશ્વરી શક્તિ સ્પતમ જરથુષ્ટ્રના સ્વરૂપે પૃથ્વી ઉપર અવતરી. - અષો જરથુષ્ટ્રનું જીવન અને કાય અષે જરથુષ્ટ્ર સામાન્યતઃ ઈ. સ. પૂ. ૯મી સદીથી ૬ઠ્ઠી સદીમાં થઈ ગયા કહેવાનું મનાય છે. જેમ અો જરથુષ્ટ્રને યુગ નક્કી કરવાનું મુશ્કેલ છે તેમ તેમના - વિષેની પ્રમાણિત માહિતી મેળવવી પણ મુશ્કેલ છે. તેમના જીવન વિષે અનેક દંતકથાઓ પ્રચલિત છે. સામાન્ય રીતે અષે જરથુષ્ટ્રના જીવન વિશેની છૂટીછવાઈ માહિતી જરથોસ્તી ધર્મગ્રંથ અવતા, સાહિત્ય, પહેલવી સાહિત્ય વગેરેમાંથી મળે છે. ફારસી સાધનામાં ઈ. સ. ૧૦૦૦માં ફિરદૌસીએ રચેલા શાહનામામાંથી કેટલીક વિગતે મળે છે. આ સર્વ ગ્રંથને આધારે અષે જરથુષ્ટ્ર ભારતના વેદકાળના અંતભાગમાં થયા હોય તે સામાન્ય મત પ્રવર્તે છે. જરથુષ્ટ્ર અસલ . અવતાને શબ્દ છે. ભારતમાં પારસીઓ તેમને જરાસ્ત તરીકે ઓળખે છે. જરથુષ્ટ્રને જન્મ પશ્ચિમ ઈરાનના મિડિયા પ્રાંતમાં આવેલા “રએ (રધ) શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ “પરુશસ્ય અને માતાનું નામ દૈવા’ - હતું. જરથુષ્ટ્રના કુલનું નામ “સ્પીતમ હોવાથી તેઓ બાળપણમાં સ્પીતમ જરથુષ્ટ્ર તરીકે ઓળખાતા હતા. અન્ય પયગંબરોની માફક જરથુષ્ટ્રના જીવનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240